-
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
-
રામકુંડ ખાતે આયોજન કરાયું
-
નેત્ર નિદાન કેમ્પ યોજાયો
-
કાકા બા હોસ્પિટલ દ્વારા આયોજન
-
જરૂરિયાત મંદોએ લીધો લાભ
અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે હાંસોટની કાકાબા હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોટની કાકાબા હોસ્પિટલ દ્વારા આજરોજ અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે નિઃશુલ્ક આંખ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં કાકાબા હોસ્પિટલના નિષ્ણાંત તબીબ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી.સાથે જરૂરિયાત દર્દીઓને વિના મુલ્યે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મોતિયાના દર્દીઓ માટે કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે વિના મુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે આ કેમ્પમાં કાકાબા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
