શું ગળામાં ખોટી જ્વેલરી પહેરવાથી થાય છે સ્કીન પ્રોબ્લેમ, તો અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર.....

New Update
શું ગળામાં ખોટી જ્વેલરી પહેરવાથી થાય છે સ્કીન પ્રોબ્લેમ, તો અપનાવો આ 5 ઘરેલુ ઉપચાર.....

આજ કાલ ખોટી જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ આવ્યો છે. પહેલાના સમયમાં લોકો સાચા એટલે કે સોનાના દાગીના પહેરતા હતા. જો કે આ જ્ગ્યા હવે ખોટા દાગીનાએ લઈ લીધી છે. છોકરીઓ કપડાં અને ફેશનને લઈને ખોટી જ્વેલરી પસંદ કરતી હોય છે. જો કે હવે સોનાના દાગીના ખેચાવાનો ભય રહેતો હોવાને કારણે પણ લોકો ખોટી જ્વેલરી પહેરવાનું પસંદ વધારે કરતાં હોય છે. પરંતુ ઘણા લોકોને ખોટા દાગીના પહેરવાથી એલર્જી, ખંજવાળ, રેશિસ, બળતરા જેવી સમસ્યા રહેતી હોય છે. તો આ ઘરેલુ ઉપાયો તમારા માટે બેસ્ટ છે. આ ઉપયોથી તમને રાહત મળશે.

· એલોવેરા જેલ

એલોવેરા જેલમાં એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કિનને લગતી દરેક સમસ્યાઓને દૂર કરે છે. આ માટે તમને જ્યારે સ્કીન એલર્જી થાય છે. ત્યાં તમે આ એલોવેરા જેલ લગાવી શકો છો. આમ કરવાથી ખંજવાળ અને બળતરા નહિ થાય.

· ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલમાં એંટી બેકરેરીયલ ગુણ આવેલા હોય છે. જે કોઈ પણ પ્રકારની સ્કીન એલર્જીમાંથી રાહત આપવાનું કામ કરે છે. તમે ખોટા દાગીના પહેરો છો અને તમને એલર્જી થાય છે તો તમે આ આઓઇલ લગાવવાનું શરૂ કરો દો. આ ઓઇલથી તમને રાહત થઈ જશે. આ ઓઇલ લગાવવા માટે તમે કોટનના રૂનો ઉપયોગ કરી શકો છો. આરામ મળી જશે.

· હળદરની પેસ્ટ

હળદરમાં એંટી બેક્ટેરિયલ, એંટીસેપ્ટિક, એંટી વાયરલ, એંટીફંગલ ગુણ હોય છે. તમે મેટલ જ્વેલરી પહેરો છો અને તમને સ્કીન એલર્જી થાય છે. તો તમારા માટે હળદર એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે અડધી ચમચી હળદર લો અને તેમાં પાઇ મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટ લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ ચોખા પાણીથી ધોઈ નાખો.

· બરફનો ઉપયોગ કરો

સ્કીન એલર્જીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે બરફનો ઉપયોગ કરી શકો છો. બરફનો શેક કરવાથી રાહત થાય છે.

· લીમડાના પાન

લીમડાના પાનમાં એંટી બેક્ટેરિયલ, એંટીએપ્ટિક અને એંટીફંગલ જેવા ગુનો આવેલા હોય છે. આ બધા માટે તમે લીમડાના પાનની પેસ્ટ લગાવી શકો છો.

Read the Next Article

જાણો વરસાદની ઋતુમાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી

વરસાદની ઋતુમાં ખંજવાળ, ફોલ્લીઓ, ખીલ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. આ ત્વચા સમસ્યાઓથી બચવા માટે, કેટલીક નાની ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ.

New Update
facecare

વરસાદની ઋતુમાં ખંજવાળ, ફોલ્લીઓ, ખીલ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. આ ત્વચા સમસ્યાઓથી બચવા માટે, કેટલીક નાની ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ. ચાલો આ લેખમાં આવી કેટલીક ત્વચા સંભાળ પદ્ધતિઓ જોઈએ.

મોન્સુસા દરમિયાન મોટાભાગના લોકોને ઠંડી પવન અને વરસાદ ગમે છે. આ ઋતુ પ્રકૃતિને પુનર્જીવિત કરવાનું પણ કામ કરે છે. આ સમય દરમિયાન, વૃક્ષો અને છોડ તાજગીથી ભરાઈ જાય છે અને હરિયાળી જીવંત બને છે, જ્યારે પ્રદૂષણ પણ ઘટે છે.

જોકે, આ ઋતુ દરમિયાન, ત્વચા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે, કારણ કે ક્યારેક વરસાદ અને પછી ગરમીને કારણે ભેજને કારણે, ખીલ, ફોલ્લીઓ, બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ, ખંજવાળ વગેરે છિદ્રોને કારણે થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે, આ લેખમાં આપણે પ્રખ્યાત સૌંદર્ય નિષ્ણાત શહનાઝ હુસૈન દ્વારા સૂચવેલા કેટલાક અસરકારક ઉપાયો જાણીશું.

શેહનાઝ હુસૈને સૌંદર્યની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. તે ઓર્ગેનિક વસ્તુઓનો પ્રચાર કરે છે અને પોતાના કુદરતી ઉત્પાદનો પણ બનાવે છે, તેમજ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ દ્વારા ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવાના રસ્તાઓ પણ જણાવે છે. તો ચાલો જાણીએ ચોમાસામાં ખીલ અટકાવવા અને તેનાથી છુટકારો મેળવવા માટે, ચહેરાને હળવા ફેસવોશથી સાફ કરો. દિવસમાં ઓછામાં ઓછા બે વાર ચહેરો ધોવો.

અઠવાડિયામાં એકવાર તમારી ત્વચાને એક્સફોલિએટ કરો. આ માટે, તમે અખરોટ અથવા કોઈપણ ઓર્ગેનિક ફેસ અને બોડી સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

ચોમાસામાં ખીલ અટકાવવા માટે, જેલ આધારિત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. ખરેખર, તે ત્વચાને તેલયુક્ત થવા દેતું નથી અને દોષરહિત ફિનિશ પણ આપે છે.

જો તમારી ત્વચા શુષ્ક હોય, તો તમારા ચહેરાને સાબુ મુક્ત ક્લીન્ઝરથી સાફ કરો. એવા ક્લીન્ઝરનો ઉપયોગ કરો જે ત્વચાને હાઇડ્રેટ પણ કરે. આ માટે, તમે પપૈયા અને કેસર જેવી વસ્તુઓમાંથી બનાવેલ ઓર્ગેનિક ફેસવોશ પસંદ કરી શકો છો.

અઠવાડિયામાં એક કે બે વાર, રિફાઇન્ડ બ્રાઉન સુગર અને મધ સમાન માત્રામાં લો અને એક્સફોલિએટ અથવા સ્ક્રબ કરો. આનાથી મૃત ત્વચા દૂર થાય છે.

રાત્રિની ત્વચા સંભાળની દિનચર્યાનું ચોક્કસપણે પાલન કરો. તેમાં સીરમ અને ક્રીમ લગાવો જેથી ત્વચા હાઇડ્રેટેડ રહે.

સૌથી મહત્વની બાબત એ છે કે તમે સ્વચ્છતાનું ધ્યાન રાખો. જો તમે વરસાદમાં ભીના થયા છો અથવા બહારથી આવી રહ્યા છો, તો પહેલા તમારા ચહેરા, હાથ અને પગને સારી રીતે ધોઈ લો, નહીં તો બેક્ટેરિયા ત્વચામાં ચેપ લાવી શકે છે, તેમજ સ્વાસ્થ્યને નુકસાન થવાની શક્યતા પણ વધી જાય છે. આ પ્રકારની સરળ ટિપ્સને અનુસરીને, તમે ચોમાસામાં પણ તમારી ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.