/connect-gujarat/media/post_banners/f2bcab96d6a5a20a120af5447d9a2f304953aa459fd310af59de43a71e7113f4.webp)
વધતી ઉંમરની અસર શરીર પર જોવા મળે છે. પરંતુ કેટલીક આદતો બદલીને વધતી ઉંમરની સ્કિન પર અને શરીર પર અસર ઓછી ચોક્કસ કરી શકાય છે. તો આવો જાણીએ કેવી રીતે...
આયુર્વેદમાં એક એવું ઔષધિ છે જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે છે. આયુર્વેદિક ઔષધિથી ત્વચાને પૂરતું પોષણ મળી રહે છે. કેટલીક જડીબુટી વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરે છે. એવા 4 ઔષધિ છે જે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.
1. અશ્વગંધા
અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાઓને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કીન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજન વધારે છે. જેનાથી સ્કીન પર પરત મોટી આવે છે. અને સ્કીન પર ગ્લો આવે છે. રાતે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.
2. લીમડો
લીમડો પ્રકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એંટીઓક્સિડેંટ્સ અને એંટીબેક્ર્ટેરિયલ ગુણ આવેલા હોય છે. તે સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે અને કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કીન પર મસાજ કરવાથી સારું રિઝલ્ટ મળે છે.
3. આંબળા
આંબળા વિટામિન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એંટીઓક્સિડેંટ્સ ગુણથીબાહરપુર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઈ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે. આ તમામ ટિપ્સને ફોલો કરીને આપ વધતી ઉંમરની થતી અસરને રોકી શકો છો. અશ્વગંધા સહિતના આયુર્વેદિક સુપર ફૂડ ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કીન ફ્રેશ લાગે છે.
4. સરગવો
સરગવાને મોરિંગા અથવા ડ્રમસ્ટિક પણ કહેવામા આવે છે. મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.