રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલનકારીઓનો જમાવડો થયો છે ત્યારે વનરક્ષક વનપાલ કર્મચારીઓ પડતર પ્રશ્નના નિરાકરણ માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આંદોલનકારીઓની ભરમાર થઈ છે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ અનેક વર્ગના સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે વનરક્ષક વનપાલ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને છેલ્લા 13 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર છે ત્યારે પોતાનો અવાજ બુલંદ કરવા માટે વનરક્ષક અને વનપાલ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ધરણાના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા છે.
વનરક્ષક અને વનપાલ પડતર પ્રશ્નોમાં ગ્રેડ-પે, રજા પગાર, પીટીએ, ભરતી-બઢતી રેસીયો વગેરે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે આ આંદોલન ચાલી રહ્યું છે તો બીજીબાજુ વીઇસી કર્મચારીઓ પણ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે અને વિશાળ રેલી કાઢી છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170