ગાંધીનગર: તાઉતે વાવાઝોડામાં રાજ્ય સરકારે રૂ.500 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત

New Update
કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે : વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર તાજેતરમાં 220 કિ.મી. પ્રતિ કલાકના તીવ્ર પવનની ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. જે ઝાડો નાશ પામ્યા છે તેને એક હેક્ટર દીઠ રૂપિયા 1 લાખની સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપશે. જ્યારે જે બાગાયતી પાકો ખરી ગયા છે અને 33થી વધુ ટકા નુકસાન થયું છે. તેને હેક્ટર દીઠ રૂ.30,000ની બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.જ્યારે ઉનાળુ પાક એવા તલ, બાજરી જેવા પાકોમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તે ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.20 હજારની સહાય કરવામાં આવશે.

વાવાઝોડા કૃષિ પેકેજથી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર રૂપિયા 500 કરોડનો બોજ આવશે. આવતીકાલ સુધીમાં સર્વે રિપોર્ટ આવી જશે અને ત્યાર પછી એક અઠવાડીયામાં જ ખાતામાં સહાયની રકમ મળી જશે.એટલું જ નહીં બાગાયતી પાક એવા કેરીના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકાર નુકસાનીનું વળતર આપે અને ખાસ પેકેજ જાહેર કરે તે માટે વિપક્ષ કોંગ્રેસ અને કિસાન સંઘ દ્વારા સરકાર સામે તબક્કાવાર માંગણી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્યના કૃષિ, બાગાયત, પશુપાલન અને મહેસૂલ વિભાગને સર્વે માટેના સીધા આદેશ કર્યા હતાં.જેના પગલે રાજ્યમાં હાલ કૃષિ ક્ષેત્રમાં થયેલા નુકસાનીના સર્વે માટે 600થી વધુ ટીમો કાર્યરત છે. તે પૈકી કેટલીક ટીમો વ્યાપક નુકસાન થયું છે, તેવા અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ સહિત પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનનો સર્વે કરી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન સંઘે પણ તાજેતરમાં ખેડૂતોના ઉનાળુ પાક, મગફળી, મગ, તલ, બાજરી અને બાગાયતી પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

Read the Next Article

મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર કરી એન્ટ્રી, હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

New Update
rain varsad

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં 25 જુને જો વધુ સિસ્ટમન એક્ટિવ થશે તો ફરી  25 બાદ પણ ગુજરાતમાં વરસાદ અવિરત રહેશે. હાલ ઓફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્ય છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  

હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે 30 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને  22થી 25 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે . પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે. તાપી, નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતાને જોતા  યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

Latest Stories