ગીર સોમનાથ : સોમનાથ મંદિર નીચેથી 3 માળની ઈમારત સહિત બૌદ્ધ ગુફા અને ભૂગર્ભ રસ્તા મળી આવ્યા

New Update
ગીર સોમનાથ : સોમનાથ મંદિર નીચેથી 3 માળની ઈમારત સહિત બૌદ્ધ ગુફા અને ભૂગર્ભ રસ્તા મળી આવ્યા

બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરની નીચે 3 માળની ઈમારત મળી આવી છે. અહીં વડાપ્રધાન મોદીની સૂચનાથી IIT ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં બૌદ્ધ ગુફા અને ભૂગર્ભ રસ્તા પણ મળી આવ્યા હતા. દિગ્વિજય દ્વાર અને હિરણના કાંઠે બાંધકામ પણ મળી આવ્યા છે. આ 4 સ્થળ પર જીપીએસ ઇન્વેસ્ટિગેશનમાં માહિતી સામે આવી છે. જ્યાં ભૂગર્ભમાં બાંધકામ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે 2 મીટરથી 12 મીટર સુધી જમીનની અંદર વાઈબ્રેશન પણ આવી રહ્યા છે. જોકે ભૂગર્ભમાં ત્રણ માળનું એલ આકારનું બાંધકામ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, આઈઆઈટી ગાંધીનગરને આ અંગેની કામગીરી સોંપાઈ હતી. વર્ષ 2017માં સોમનાથના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્વ વિભાગને અભ્યાસ કરવાનું સૂચન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. આઇઆઇટી ગાંધીનગર દ્વારા એની 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સોમનાથ આવી હતી. સોમનાથ અને પ્રભાસપાટણમાં કુલ 4 સ્થળે આ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું, જેમાં ગૌલોકધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફાનો સમાવેશ થાય છે. જેનો 32 પાનાનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો.

જોકે આ રિપોર્ટ પ્રમાણે, પ્રભાસપાટણના સોમનાથ હસ્તકના ગૌલોકધામમાં આવેલા ગીતામંદિરના આગળના ભાગમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે. દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે. ત્યાં ભૂગર્ભમાં 3 માળનું મકાન હોવાનું માલૂમ પડ્યું છે. જેમાં એક માળ અઢી મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ સાડા સાત મીટરની ઊંડાઇએ આવેલો છે. જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે, એ સ્થળે પણ ભૂગર્ભમાં એલ આકારનું બાંધકામ હોવાનું જણાયું છે. ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગરના નિષ્ણાંતોએ આશરે 5 કરોડની કિંમતના મોટાં મશીનો સાથે પ્રભાસપાટણ આવી સોમનાથમાં એક દિવસ રાત્રિ રોકાણ કરી સાઇડ લે આઉટ પ્લાન તૈયાર કરી સરવે કરી જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન આવે એના પરથી નિષ્ણાંતો પોતાનો અભિપ્રાય આપે છે. સ્કંદ પુરાણમાં 1400 વર્ષ પૂર્વે પ્રભાસપાટણની શું સ્થીતી હતી. એ અંગે 8000 શ્લોકમાં માપ સહીત વિગતો આપી છે, ત્યારે જો આ દીશા માં આગળ વઘવામાં આવે અને જો કોઇ યુનીવર્સીટી પ્રોજેકટરૂપે કાર્ય હાથ ઘરે તો પ્રભાસપાટણનો ભવ્ય ઇતીહાસ સામે આવી શકે છે. જોકે આઇ.આઇ.ટીના વર્ષ 2017ના રીપોર્ટ બાદ આજે 4 વર્ષ જેવો સમય વિતી ગયો છે, પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાદમાં આ રીપોર્ટ અનુસંઘાને કોઇ કાર્યવાહી હાથ ઘરવામાં આવી નથી.

Latest Stories