Home > ગુજરાતની ચૂંટણીની ગપશપ > આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા કતારગામ બેઠક પરથી લડશે ચૂંટણી, અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ
આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા કતારગામ બેઠક પરથી લડશે ચૂંટણી, અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ
AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે
BY Connect Gujarat Desk9 Nov 2022 6:04 AM GMT
X
Connect Gujarat Desk9 Nov 2022 6:04 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, આ સિવાય AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે તો ધાર્મિક માલવિયાને ઓલપાડથી ટિકિટ ફાળવવામાં આવી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.'
Next Story