પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા સરકાર કટિબદ્ધ
નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કાર્યક્રમ
રાજ્યમાં 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
લમ્પી રોગથી રક્ષિત કરવા 62 લાખ પશુઓનું રસીકરણ
2.57 કરોડ પશુઓનું ઈયર ટેગિંગ કરીને ઓળખ અપાય
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલેગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અબોલ પશુઓને રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ કરાયું છે. જણાવ્યું હતું કે, ભારત સરકારની 100 ટકા સહાયથી રાજ્યમાં “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” અમલમાં છે.
આ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યના પશુઓને ખરવા-મોવાસા, બૃસેલ્લોસિસ (ચેપી ગર્ભપાત), લમ્પી સ્કીન ડીસીઝ, ગળસૂંઢો અને ઘેટાં-બકરાંમાં પી.પી.આર જેવા રોગ સામે રસીકરણ કરી રક્ષિત કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 5.53 લાખ પશુઓનું બૃસેલ્લોસિસ રસીકરણ, 62 લાખ પશુઓનું લમ્પી સ્કીન ડીસીઝ સામે રસીકરણ, 44 લાખ ઘેટાં-બકરાંનું પી.પી.આર. રોગ સામે રક્ષિત કરવા રસીકરણ, 1.66 લાખ પશુઓને ગળસૂંઢો માટેની રસી તથા 1.54 કરોડ પશુઓનું ખરવા-મોવાસા સામે રસીકરણ કરવામાં આવ્યું હતું.