ગુજરાતમાં નવા 17 તાલુકા અસ્તિત્વમાં આવ્યા,કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.

New Update
guj

ગુજરાતમાં 17 જેટલા નવા તાલુકાઓને કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આજરોજ શાસક પક્ષ અને રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલાં આ તાલુકાઓને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા.

ssdw

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં મહીસાગર અને પંચમહાલ માંથી બેદાહોદમાંથી બેઅરવલ્લી તેમજ સુરતમાંથી બે-બેનર્મદામાંથી એકવલસાડમાંથી એકખેડા અને છોટાઉદેપુર માંથી એક એક તો સૌથી વધુ બનાસકાંઠામાંથી 5 તાલુકાની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં સંતરામપુર અને શહેરામાંથી ગોધરાલુણાવાડા માંથી કોઠંબાડેડિયાપાડામાંથી ચીકદાવાપી-કપરાડા-પારડી તાલુકામાંથી નાનાપોઢાથરાદમાંથી રાહવાવમાંથી ધરણીધરકાંકરેજમાંથી ઓગળદાતામાંથી હડાદઝાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીંબડીફતેપુરામાંથી સુખસરજેતપુર પાવીમાંથી કદવાલકપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલભિલોડામાંથી શામળાજીબાયડમાંથી સાઠંબાસોનગઢમાંથી ઉકાઈમાંડવીમાંથી અરેઠ અને મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે. હાલ 33 જિલ્લાના 252 તાલુકા હતા પણ હવે 17 નવા તાલુકાની જાહેરાત થતાં જ 269 તાલુકા થયા છે.

Latest Stories