Connect Gujarat
ગુજરાત

પાંચ જિંદગી ડૂબી: બોટાદમાં કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં 5 યુવાનોના મોત

એક સાથે પાંચના મોતથી બોટાદ પંથકમાં ભારે ગમગીની ફેલાઈ છે. તમામ મૃતકો બોટાદના મહંમદનગર વિસ્તારમાં રહેતા હતા.

પાંચ જિંદગી ડૂબી: બોટાદમાં કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં 5 યુવાનોના મોત
X

બોટાદ જિલ્લામાં આવેલા કૃષ્ણસાગર તળાવમાં પાંચ યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. નાહવા પડેલા બે યુવાનોને બચાવવા જતા અન્ય ત્રણ યુવાનોના પણ મોત થયા હતા. તમામના મૃતદેહો બહાર કાઢી સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. એક સાથે પાંચના મોતથી બોટાદ પંથકમાં ભારે ગમગીની ફેલાઈ છે. તમામ મૃતકો બોટાદના મહંમદનગર વિસ્તારમાં રહેતા હતા. ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢી હતી. બોટાદ પોલીસ તેમજ પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story