સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 સે.મી.નો વધારો

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 cm નો વધારો થયો છે નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી છે

New Update

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 cm નો વધારો થયો છે નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ફરી એકવાર વધારો થયો છે.નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી છે. ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 84,718 ક્યુસેક પાણીની આવક ડેમમાં થઈ રહી છે તો નર્મદા ડેમના પાંચ ગેટ 0.6 મીટર ખોલવામાં આવ્યા છે. ગેટમાંથી 20,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો આ તરફ રિવર બેડ પાવર હાઉસમાંથી 41,460 અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 22,977 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. આમ નર્મદા ડેમમાંથી કુલ 66,437 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે .ડેમમાં હાલ 4,617.20 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે.

Read the Next Article

સાબરકાંઠા : પહેલા જ વરસાદે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર નવો બનેલ સર્વિસ રોડ ધોવાયો..!

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ 

New Update
  • હિંમતનગરના મોતીપુરા નજીકથી વાહનચાલકોને હાલાકી

  • અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર સર્વિસ રોડ બિસ્માર

  • સર્વિસ રોડ બિસ્માર બનતા શહેરીજનો-વેપારીઓ પરેશાન

  • પહેલા જ વરસાદે રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ કરી

  • વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ 

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરા નજીકથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. પહેલા જ વરસાદે રોડ રસ્તાની હાલત ખરાબ કરી નાખતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થયું છે. જોકેહિંમતનગર શહેરમાં પ્રવેશવા અને હિંમતનગર શહેરમાંથી નેશનલ હાઇવે પર જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે. હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર થતાં સ્થાનિક વેપારીઓ તેમજ અહીંથી પસાર થતાં હજારો વાહન ચાલકો પરીક્ષાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આગામી દિવસોમાં વરસાદ વધશે તેના પહેલા સમારકામ કરવા માટેની સ્થાનિકો માગ કરી રહ્યા છે.

છેલ્લા 8 વર્ષથી અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. જોકે હજુ પણ કેટલીક કામગીરી અધુરી છે. હિંમતનગર શહેરના મોતીપુરાથી સહકારી જીન વચ્ચેના સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે અનેક વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સર્વિસ રોડ પર મોટા ખાડા હોવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ વારંવાર સર્જાતા હોય છે. એટલું જ નહીંસર્વિસ રોડની બાજુમાં વેસ્ટ વીયરની લાઈનનું કામ પણ અધૂરું અને જે કામ પૂર્ણ થયું ન હોવાના કારણે અકસ્માતો થવાની પણ સ્થાનિકોને દહેશત સતાવી રહી છે. જોકેસત્વરે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.