7 કલાકનો વીજ કાપ : અંકલેશ્વરમાં આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે..!

ગુજરાત | સમાચાર , ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં.અગત્યના સમારકામ હેતુસર

New Update
Power

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં. અગત્યના સમારકામ હેતુસર વીજ નિગમ દ્વારા વીજ કાપ રાખવામાં આવ્યો છે.

આવતીકાલે તા. 17 ઓગષ્ટ (શનિવાર)ના રોજ અંકલેશ્વર શહેરના ફીડર નંબર 6 (સર્વોદય ફીડર)નું મેઈન્ટેનન્સ હોવાથી કસ્બાતીવાડ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ, સરસ્વતી પાર્ક, રહેમત પાર્ક, મન્નત રો-હાઉસ, સ્ટાર એવન્યુ, નૂરે ઇલાહી, સપના સોસાયટી, ચોર્યાસી ભાગોળ, કસ્બાતીવાડ, ઘનશ્યામ નગર, જનક વાટિકા સહિત હીલપાર્ક સોસાયટી વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 9 કલાકથી સાંજે 4 કલાક સુધી બંધ રહેશે. જોકે, વીજ નિગમ દ્વારા કરવામાં આવનાર મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.

Latest Stories