આજના દિવસે આઝાદ થયું હતું “જુનાગઢ”, જુનાગઢવાસીઓએ કરી જુનાગઢ દિવસની ભવ્ય ઉજવણી...

જુનાગઢની આઝાદીનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે 562 દેશી રજવાડા હતા. 15 ઓગષ્ટ ભારતનો આઝાદી દિવસ છે. પરંતુ 5 મહિના અગાઉ ભારતને આઝાદ કરવાનું નક્કી થઈ ગયું હતું

New Update
  • તા. 9 નવેમ્બર એટલે જુનાગઢનો આઝાદી દિવસ

  • દર વર્ષે જુનાગઢવાસીઓ દ્વારા થતી ભવ્ય ઉજવણી

  • જુનાગઢ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

  • જુનાગઢની તક્તીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું

  • બહાઉદ્દીન કોલેજ ખાતે ભવ્ય રંગોળી પ્રદર્શન યોજાયું

તા. 9 નવેમ્બર એટલે જુનાગઢનો આઝાદી દિવસત્યારે દર વર્ષે જુનાગઢવાસીઓ દ્વારા જુનાગઢ દિવસની વિવિધ કાર્યક્રમોના સથવારે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જુનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે જુનાગઢ આઝાદી દિવસ નિમિત્તે રંગોળી પ્રદર્શન યોજાયું હતું.

જુનાગઢની આઝાદીનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે 562 દેશી રજવાડા હતા. 15 ઓગષ્ટ ભારતનો આઝાદી દિવસ છે. પરંતુ 5 મહિના અગાઉ ભારતને આઝાદ કરવાનું નક્કી થઈ ગયું હતું. ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્રતાનો કાયદો ઘડાયોતે ધારા અનુસાર હિન્દુસ્તાનના તમામ રજવાડાઓને ભારતમાં અથવા પાકિસ્તાનમાં જોડાવા નક્કી કરવા ફરમાન કરાયું હતું.

જેમાં ભારતના 3 નગરોએ અનોખો ઈતિહાસ રચી દીધો. કાશ્મીરહૈદરાબાદ અને જુનાગઢ. જુનાગઢમાં તે સમયે નવાબ મહોબતખાનજી ત્રીજાનું શાસન હતુંજુનાગઢના નવાબ મહોબતખાનજી એક પ્રજા વત્સલ રાજવી હતા. પરંતુ કોઈ કારણોસર તેઓએ દિવાન શાહનવાઝ ભુટ્ટોભોપાલ બેગમ અને ઈસ્માઈલ અબ્રેહાનીના દબાણથી જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી નાખ્યું હતું.

જુનાગઢને આઝાદ કરવા આરઝી હુકુમતની સ્થાપના કરાઈ હતી. દેશની આઝાદીના અઢી મહિના પછી જુનાગઢ આઝાદ થયું અને જુનાગઢ આઝાદ થયાને 3 મહિના પછી આઝાદ ભારતનું પ્રથમ મતદાન પણ થયું હતુંત્યારે દર વર્ષે શહેરીજનો દ્વારા જુનાગઢ દિવસની ઉજવણી કરાય છે.

જુનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે ધારાસભ્ય સંજય કોરડીયાકમિશ્નર ઓમ પ્રકાશે જુનાગઢની તક્તીનું પૂજન કર્યું. જેમાં સંતો-મહંતો પણ ખાસ પૂજન માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જુનાગઢમાં આઝાદીના પર્વ નિમિતે બહાઉદ્દીન કોલેજ હોલમાં આઝાદીની યાદ અપાવતી રંગોળીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર સહિત સમગ્ર જિલ્લાના હજારો રેશનકાર્ડ ધારકોને તંત્રની નોટીસ, પાત્રતા ન હોય એવા લાભાર્થીઓને નહીં મળે અનાજ !

રેશનકાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશનકાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતા અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
  • રાજ્ય સરકારના આદેશ બાદ કાર્યવાહી

  • રેશનકાર્ડ ધારકોને તંત્રએ નોટીસ પાઠવી

  • પાત્રતા ન ધરાવતા કાર્ડ ધારકો અનાજ લેતા હોવાનું બહાર આવ્યું

  • નોટીસ પાઠવી 7 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ

  • કોંગ્રેસે તંત્રની કાર્યવાહીનો નોંધાવ્યો વિરોધ

ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં રેશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.રેશનકાર્ડ ધારકોનું કેવાયસી થતા કેટલાક રેશનકાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતા અનાજ મેળવી રહ્યા હોવાનું બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાભરની સસ્તા અનાજની દુકાનના રેશનકાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશનકાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ બીપીએલ અંત્યોદય રેશનકાર્ડ ધારકો હોય આ તમામ રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર જંબુસર મામલતદાર એન.એસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના પરમારની સૂચના હેઠળ 25 હજાર ઉપરાંત રેશનકાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 
જેમાં 20,895 રેશનકાર્ડ ધારક જમીનદારો, ચાર રેશનકાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશનકાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 એમસીએ ડાયરેક્ટર, તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાનું બહાર આવ્યું હતુ. આ તમામ રેશનકાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  સાત દિવસમાં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે, પૂર્તતા નહીં થાય તેવા ગ્રાહકોના નામ રદ કરાશે.
આ પ્રકારની કામગીરી ભરૂચના અન્ય તાલુકા અને સમગ્ર રાજ્યમાં પણ કરવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા પાઠવાયેલ નોટીસોમાં PM-KISAN યોજના અથવા જમીન માલિકીના આધાર પર રેશનકાર્ડ રદ કરવા જણાવાયું છે, જે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ, 2013 તથા બંધારણની કલમ 21  જીવન અને આહારના હકનું ખુલ્લું ઉલ્લંઘન છે. જમીનની માલિકી આર્થિક સ્થિતિનું સાચું પ્રતિબિંબ નથી. સંયુક્ત કુટુંબોમાં વારસાઈ વહેચણ બાદ હિસ્સો નહિવત રહે છે અને ખેડૂતોની આવક પૂરતી નથી. આવી સ્થિતિમાં અનાજ કાપવુએ લોકોના પેટ પર લાત મારવા સમાન છે.
Latest Stories