પ્રકાશમય ઉત્સવ સાથે લોકોના જીવનમાં નવી ઉર્જાનું સિંચન કરતો પર્વ એટલે... “દિવાળી”

દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે.

New Update

દિવાળીના વિચારમાત્રથી તાજગીસભર પ્રસન્ન થતું મન, માનવીમાં રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયનો પર્વ

દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે. આપણા પરિવારસગા સંબંધીઓમિત્રો સહિત લોકો સાથે રહેવાનો અને સંબંધોમાં તેજ વધારવાનો આ ઉત્સવ છેત્યારે આવો જાણીએ દિવાળી પર્વનો મહિમા કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં...

દિવાળીના દિવસે દીવાનું પૂજન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે લક્ષ્મી પૂજા કરતાં પહેલાં કળશભગવાન ગણેશવિષ્ણુઇન્દ્રકુબેર અને દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. સ્કંદ અને પદ્મ પુરાણ અનુસારદિવાળીના દિવસે દીવાનું દાન કરવું જોઈએ. બ્રહ્મ પુરાણ કહે છે કેકારતક અમાવસ્યાની મધ્યરાત્રિએ લક્ષ્મી સારા લોકોના ઘરે આવે છેતેથી ઘરની સાફ-સફાઈ અને સજાવટ પછી દિવાળી ઊજવવાની પરંપરા છે.

શ્રીમદ્ ભાગવત અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસારકારતક મહિનાની અમાવાસ્યાના દિવસે સમુદ્રમંથનથી લક્ષ્મી પ્રગટ થયાં હતાં. આ પછી લક્ષ્મીપૂજાની પરંપરા શરૂ થઈ હતી. બ્રહ્મ પુરાણની કથા અનુસારમહારાજ પૃથુએ પૃથ્વીનું પોષણ કરીને એને સંપત્તિ અને અનાજથી સમૃદ્ધ બનાવ્યું હતુંતેથી દિવાળી ઉજવવામાં આવે છે. માર્કંડેય પુરાણ કહે છેજ્યારે પૃથ્વી પર માત્ર અંધકાર હતો ત્યારે દેવી કમળ પર તેજસ્વી પ્રકાશ સાથે બેઠેલાં દેખાયાં હતાંતેઓ લક્ષ્મીજી હતાં. તેમના પ્રકાશથી વિશ્વનું સર્જન થયું છેતેથી આ દિવસે લક્ષ્મીપૂજાની પરંપરા છે. એ જ સમયે શ્રીરામના અયોધ્યા પરત ફરવાના સ્વાગત માટે દિવાળી ઉજવવાની પરંપરા છે.

આજે દિવાળી એટલે લોકોમાં આ ઉત્સવના આનંદ નિમિત્તે દીવાઓ પ્રગટાવવામાં અને ફટાકડાની ગુંજમાં જોવા મળશેપરંતુ એ પહેલાં દરેક ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવશે. પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છેજેમાં રાક્ષસને મારવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યારબાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા.

આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છેઅને માનસિકશારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે. આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં "લક્ષ્મી-પંચાયતન" પ્રવેશે છે. ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજા એ દિવાળીનો સૌથી વધુ મહત્વનો દિવસ છે. હિન્દુ ઘરો સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા કરે છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા સળગાવી સમૃદ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે. આનંદના આ દિવસે ઘણાં લોકો વિવિધ નાસ્તો અને ભોજનનો સ્વાદ માણે છેઅને મિત્રો તથા પરિવારજનોને મળે છે. સાંજે દીવા પ્રગટાવવામાં આવે છેઅને દેવી લક્ષ્મીની પૂજા થાય છેતથા તેમને વિશેષ ભોગ ધરાવાય છે.

દિવાળીના તહેવારોમાં માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મુકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીના તહેવારોમાં અવનવી લાઇટીંગનો ઝગમગાહટ જેમ શહેરની સુંદરતામાં વધારો કરે છેતેમ ફાટકડાનો આવાજ પણ વાતાવરણમાંથી જીવાતને દૂર કરતો હોવાનું કહેવાય છે. આપણા જીવનમાં દરેક તહેવાર કંઇક નવું શીખવે છેઅને સંબંધોમાં નવી તાજગીરૂપી પ્રેમનું નિર્માણ કરે છે. ભલે આજના યુગને ડિજિટલ યુગ તરીકે ઓળખાતા હોઈશુંપરંતુ તહેવારની શુભેચ્છની સાચી મજા તો રૂબરૂ મળીને એકબીજા પ્રત્યે હેત વરસાવી અને મીઠાઈ ખવડાવીને જ આવે છે.

ભલે આખા વર્ષ દરમિયાન કોઈને મળી ન શકાય કેકામની વ્યસ્તતાના કારણે મળવાનું શક્ય ન બનેપરંતુ દિવાળી પર્વમાં અચૂક એક નાનકડી મુલાકત પણ કરવી જોઈએ. આ એ હૂંફ છે જે બે વ્યક્તિઓ વચ્ચેની લાગણીનો પ્રત્યક્ષ અનુભવ કરાવી મનમાં રહેલા વેરભાવને પણ ભુલાવી દે છે. દિવાળીનું પર્વ છે ઉમંગઉત્સાહ નવી તાજગી સાથે નવા સમયની શરૂઆત કરવાનો બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને નવી ઉર્જા આપીને ચેતનવંતો બનાવવાનો. પ્રકાશમય દિવાળીનો ઉજાસમીઠાઈરૂપી મીઠાસ અને રંગોળીના કલરનો રંગ આપણા જીવનને ઉત્સવમય બનાવે તેવી શુભેચ્છા સાથે આપ સૌ દર્શક મિત્રોને દિવાળી પર્વની હૃદયપૂર્વક શુભેચ્છા...

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.