સાબરકાંઠા: યુવાન માતાએ 15 જ દિવસના બાળકને કૂવામાં ફેંકી કરી હત્યા,કારણ જાણી ચોંકી જશો

સાબરકાંઠાના ઇડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય

New Update

સાબરકાંઠાના ઇડરનો બનાવ

અચરાલ ગામે માતાનું કૃત્ય

15 દિવસના બાળકને કૂવામાં ફેંકી કરી હત્યા

કાગળમાં લપેટયા બાદ કૂવામાં ફેંકી દેવાયો

પોલીસે માતાની કરી ધરપકડ

સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય માતાએ સામાન્ય બાબતે પોતાના કાળજાના કટકાને 150 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ફેંકી દેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે..
સાબરકાંઠાના ઇડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય છે. લક્ષ્મીબેન ચૌહાણનો  પરિવાર મજૂરી પર આસપાસના વિસ્તારમાં ગયો હતો જે દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યુ હતું જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાના પરિવારનો  ભય જણાતા તેમણે કાગળમાં લપેટી પોતાના વહાલસોયા કટકાને પથ્થરથી બાંધી નજીકના કૂવામાં ધકેલી ઘરે પરત આવી ગઈ હતી..
તેમજ ઘરે આવી પોતાના પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.આ મામલે પોલીસે માતાની કડક પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી પોલીસે બાળકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતી.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.