વલસાડ: કોસંબા ગામ ખાતે રણછોડજીને રાખડી બાંધવાની અનોખી પરંપરા,ત્યારબાદ  રક્ષાબંધનની થાય છે ઉજવણી

વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી

New Update

વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી,અને ભગવાનને રાખડી બાંધીને ધન્યતા અનુભવી હતી.

વલસાડ જિલ્લાના કોસંબા ગામમાં આવેલ રણછોડજી મંદિરમાં ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી.કોસંબા સ્થિત આવેલ 100 વર્ષથી વધુ જૂનું રણછોડજી મંદિર અને રક્ષાબંધનનો અનેરો સંગમ છે.આ વિસ્તારની બહેનો સૌ પ્રથમ ભગવાન રણછોડરાયને રાખડી બાંધે છે અને ત્યારબાદ ભગવાનને પોતાના ભાઈના વ્યવસાય ધંધામાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના  કરે છે. અને બહેન ત્યારબાદ જ પોતાના ભાઈને રાખડી બાંધે છે.આ ગામના માછીમારો પણ સૌપ્રથમ ભગવાનને રાખડી બાંધ્યા બાદ જ પોતાની બોટ દરિયામાં લઈ જતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Read the Next Article

નવસારી : વાંસદામાં પેટના દુખાવાની વિધિ કરાવવા ગયેલા યુવકે ભગતની પથ્થર મારીને હત્યા કરી નાખતા ચકચાર

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.

New Update
  • વાઘબારીમાં ચોંકાવનારી બની ઘટના

  • પેટના દુખાવાની વિધિ દરમિયાન ભગતની હત્યા

  • યુવકને પેટનો દુખાવો ઉપડતા ભગત કરતા હતા વિધિ

  • યુવકે ભગતને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો

  • પોલીસે હત્યારા યુવકની કરી ધરપકડ 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાઘબારી ગામમાં એક યુવકને પેટમાં દુખાવાની તકલીફ હતી,જે રોગના ઉપચાર માટે તેને ગામના એક ભગતનો સંપર્ક કર્યો હતો.જોકે વિધિ દરમિયાન યુવકે ભગતને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભગત પાસે પેટનો દુખાવો મટાડવા ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી હતી આ ઘટના વાંસદા વિસ્તારમાં બની હતી.વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં પેટના દુખાવાની વિધિ દરમિયાન થયેલી હત્યાની ઘટના સામે આવી છે. ધીરુ વિઠ્ઠલભાઈ પટેલને પેટમાં દુખાવો રહેતો હતો. તેમણે ગામમાં રહેતા ભગત ઝીણાભાઈ પટેલ પાસે ઉપચાર માટે વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું.

ગીતામણી નદી પાસે રાત્રે વિધિની શરૂઆત કરવામાં આવી હતી. વિધિ દરમિયાન ભગતે ધીરુની પીઠ પર જોરથી ધબ્બો માર્યો હતો. આ બાબતે ધીરુએ વાંધો ઉઠાવ્યો હતો.અને ભગતે જણાવ્યું કે આ વિધિનો ભાગ છે.

આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈજે મારામારીમાં પરિણમી હતી. ઉશ્કેરાયેલા ધીરુએ ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.અને પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ધીરુને ઝડપી લીધો હતો.અને વધુ તપાસ શરૂ કરી હતી.