વલસાડ: કોસંબા ગામ ખાતે રણછોડજીને રાખડી બાંધવાની અનોખી પરંપરા,ત્યારબાદ  રક્ષાબંધનની થાય છે ઉજવણી

વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી

New Update

વલસાડ જિલ્લાના કોસંબા ગામ ખાતે રણછોડજી મંદિર ખાતે અનોખી રીતે ભક્તો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી,અને ભગવાનને રાખડી બાંધીને ધન્યતા અનુભવી હતી.

વલસાડ જિલ્લાના કોસંબા ગામમાં આવેલ રણછોડજી મંદિરમાં ભક્તોએ ભગવાનને રાખડી બાંધી હતી.કોસંબા સ્થિત આવેલ 100 વર્ષથી વધુ જૂનું રણછોડજી મંદિર અને રક્ષાબંધનનો અનેરો સંગમ છે.આ વિસ્તારની બહેનો સૌ પ્રથમ ભગવાન રણછોડરાયને રાખડી બાંધે છે અને ત્યારબાદ ભગવાનને પોતાના ભાઈના વ્યવસાય ધંધામાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના  કરે છે. અને બહેન ત્યારબાદ જ પોતાના ભાઈને રાખડી બાંધે છે.આ ગામના માછીમારો પણ સૌપ્રથમ ભગવાનને રાખડી બાંધ્યા બાદ જ પોતાની બોટ દરિયામાં લઈ જતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Read the Next Article

દાહોદ : સાંસદ દ્વારા સંચાલિત કે.જે.ભાભોર શાળામાં એલસી માટે વિદ્યાર્થી પાસેથી રૂ.5000 વસૂલ્યા,સ્ટિંગ ઓપરેશનમાં ફૂટ્યો ભાંડો

એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

New Update
  • શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો

  • સાંસદની કે.જે.ભાભોર સ્કૂલનો બનાવ

  • એલસી માટે વિદ્યાર્થી પાસેથી લીધા રૂપિયા

  • 5 હજારમાં વિદ્યાર્થીને આપ્યું એલસી

  • વાલીએ સમગ્ર ઘટનાનું કર્યું સ્ટિંગ ઓપરેશન

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા.અને સામે આપેલી રસીદમાં કયા કારણોસર ફી લીધી એની નોંધ કરવામાં આવી ન હતી.આ અંગે વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

આ અંગે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામાએ જણાવ્યું હતું કેપ્રથમ વખત એલ.સી. કઢાવવાનો કોઇ ચાર્જ હોતો નથી. જો આ શાળાએ એલ.સી. માટે ફી લીધી હશે તો એ નિયમ વિરૂદ્ધ છે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સરકારી શાળામાં કોઈ ફી નથી હોતીગ્રાન્ટેડ શાળામાં જોગવાઈ પ્રમાણે નોર્મલ ફી જે લેવા પાત્ર થતી હોય એ લઇ શકે છે અને જો ખાનગી શાળા હોય તો એફ.આર.સી. દ્વારા એને મંજૂરી આપવામાં આવેલી હોય છે. જે એફ.આર.સી.ના ધારાધોરણ મુજબ એ ફી લઇ શકતા હોય છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાબતે હવે શિક્ષણ વિભાગ શાળા વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરે છે કે પછી સાંસદની શાળા હોવાથી માત્ર તપાસનું તરકટ કરવામાં આવશે તે જોવું રહ્યું.