બનાસકાંઠા : અંબાજીમાં ડિમોલિશનના અસરગ્રસ્તોની મુલાકાતમાં MLA અને પોલીસવડા વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી

અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે,

New Update
  • અંબાજીમાં MLA - SP વચ્ચે શાબ્દિક ટપાટપી

  • અંબાજી શક્તિ કોરિડોરની ચાલી રહી છે કામગીરી  

  • 89 મકાનનું ડિમોલિશન કરતા પરિવાર બન્યા બેઘર

  • કોંગ્રેસ ડેલિગેશને કરી અસરગ્રસ્તોની મુલાકાત

  • કોંગી MLA અને પોલીસવડા વચ્ચે સર્જાયું શાબ્દિક ઘર્ષણ 

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજીમાં ડિમોલિશનનીમાં અસરગ્રસ્તોની મુલાકાતે ધારાસભ્ય કાંતિ ખરાડી આવ્યા હતા,જોકે આ સમયે જિલ્લા પોલીસ વડા સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું.

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થાય તે પહેલા જ ડિમોલિશનના અસરગ્રસ્તોનો વિવાદ વધુ વકર્યો છે અને કોંગ્રેસ ડેલિગેશન તેમને મળવા પહોંચ્યું હતું.તે સમયે વ્યવસ્થાની બાંહેધરી આપવા પહોંચેલા જિલ્લા પોલીસવડા અને ધારાસભ્ય કાંતિ ખરાડી વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.

અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે,ત્યારે કોંગ્રેસ ડેલિગેશન આ અસરગ્રસ્તોની મુલાકાત માટે પહોંચ્યું હતું અને અસરગ્રસ્તો સાથે સાંસદ ગેનીબેન ઠાકોરધારાસભ્ય જીગ્નેશ મેવાણી,ધારાસભ્ય કાંતિ ખરાડી તેમજ લાલજી દેસાઈ સહિતના નેતાઓએ વાતચીત કરી હતી.

જ્યારે જિલ્લા પોલીસવડા પણ અહીંયા પહોંચ્યા હતા,તેમણે તમામ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અને પીએમ આવાસ યોજના હેઠળ મકાન આપવાની બાંહેધરી આપી હતી,આ સમય દરમિયાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ અસરગ્રસ્તો માટે કોઈ વ્યવસ્થા નહીં થાય તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી ગર્ભિત ધમકી આપી હતી,અને આ વાતથી નારાજ થઈને પોલીસવડાએ પણ વળતો જવાબ આપ્યો હતો,જે શાબ્દિક ઘર્ષણના વિડીયો પણ વાયરલ થયા હતા.

Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.