બનાસકાંઠા : અંબાજીમાં ડિમોલિશનના અસરગ્રસ્તોની મુલાકાતમાં MLA અને પોલીસવડા વચ્ચે સર્જાઈ શાબ્દિક ટપાટપી

અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે,

New Update
  • અંબાજીમાંMLA - SP વચ્ચે શાબ્દિક ટપાટપી

  • અંબાજી શક્તિ કોરિડોરની ચાલી રહી છે કામગીરી  

  • 89 મકાનનું ડિમોલિશન કરતા પરિવાર બન્યા બેઘર

  • કોંગ્રેસ ડેલિગેશને કરી અસરગ્રસ્તોની મુલાકાત

  • કોંગીMLA અને પોલીસવડા વચ્ચે સર્જાયું શાબ્દિક ઘર્ષણ 

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજીમાં ડિમોલિશનનીમાં અસરગ્રસ્તોની મુલાકાતે ધારાસભ્ય કાંતિ ખરાડી આવ્યા હતા,જોકે આ સમયે જિલ્લા પોલીસ વડા સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું.

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થાય તે પહેલા જ ડિમોલિશનના અસરગ્રસ્તોનો વિવાદ વધુ વકર્યો છે અને કોંગ્રેસ ડેલિગેશન તેમને મળવા પહોંચ્યું હતું.તે સમયે વ્યવસ્થાની બાંહેધરી આપવા પહોંચેલા જિલ્લા પોલીસવડા અને ધારાસભ્ય કાંતિ ખરાડી વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.

અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે,ત્યારે કોંગ્રેસ ડેલિગેશન આ અસરગ્રસ્તોની મુલાકાત માટે પહોંચ્યું હતું અને અસરગ્રસ્તો સાથે સાંસદ ગેનીબેન ઠાકોરધારાસભ્ય જીગ્નેશ મેવાણી,ધારાસભ્ય કાંતિ ખરાડી તેમજ લાલજી દેસાઈ સહિતના નેતાઓએ વાતચીત કરી હતી.

જ્યારે જિલ્લા પોલીસવડા પણ અહીંયા પહોંચ્યા હતા,તેમણે તમામ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અને પીએમ આવાસ યોજના હેઠળ મકાન આપવાની બાંહેધરી આપી હતી,આ સમય દરમિયાન ધારાસભ્ય કાંતિ ખરાડીએ અસરગ્રસ્તો માટે કોઈ વ્યવસ્થા નહીં થાય તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી ગર્ભિત ધમકી આપી હતી,અને આ વાતથી નારાજ થઈને પોલીસવડાએ પણ વળતો જવાબ આપ્યો હતો,જે શાબ્દિક ઘર્ષણના વિડીયો પણ વાયરલ થયા હતા.

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.