/connect-gujarat/media/post_banners/7f28132397b2458c534360cda0ea8c340026fdcdc625889d5583d586addf6c85.webp)
દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે આજે અમદાવાદ રેલવે સ્ટેશન ના પુનઃવિકાસ ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને CSMT, મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માં અંદાજે રૂ.10,000 કરોડનું રોકાણ સામેલ છે.
/connect-gujarat/media/post_attachments/eb26ebe381496200f69d532ec02da0074d9673f178be8e6d9e3d054077c328d3.webp)
આજે અને 30 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેન અને વંદે ભારત ટ્રેન નો શુભારંભ કરવા જઇ રહ્યા છે. આમ નવરાત્રી આ દિવસો દરમિયાન રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાત ને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળવા જઇ રહી છે, ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરની પ્રેરિત છે. આ સાથે જ દિલ્હી રેલ્વે સ્ટેશન બસ, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓ ને એકીકૃત કરશે,
/connect-gujarat/media/post_attachments/c31e2af8b9af8043a703464facc6fcf34a66cddd2f711ae461e3a6af11056b54.webp)
જ્યારે મુંબઈ સીએસટી રેલવે સ્ટેશન હેરિટેજ બિલ્ડીંગ માં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં બિલ્ડીંગોને પુનઃ વિકસિત કરવામાં આવશે નવી દિલ્હી, CSMT અને અમદાવાદ રેલ્વે સ્ટેશન ના પુનઃવિકાસ માટેના ટેન્ડર આગામી 10 દિવસમાં બહાર પાડવામાં આવશે. આ 3 મુખ્ય સ્ટેશન સહિત 199 સ્ટેશનોના પુનઃવિકાસ નો કુલ ખર્ચ રૂ.60,000 કરોડ છે. આગામી 2 થી 3.5 વર્ષના સમયગાળા દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન, નવી દિલ્હી રેલવે સ્ટેશન, અને મુંબઈ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનોના પુનઃવિકાસ માં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે