Connect Gujarat
ગુજરાત

પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે જામનગરના યુવાન દ્વારા સાયકલ પર 8 રાજ્યનું ભ્રમણ…

ભાગાદોડી અને હરીફાઈના યુગમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. પર્યાવરણ બચાવ માટે અને સ્વાસ્થય સારૂ રાખવા સાયક્લિંગ સારી કસરત માનવામાં આવે છે.

પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે જામનગરના યુવાન દ્વારા સાયકલ પર 8 રાજ્યનું ભ્રમણ…
X

ભાગાદોડી અને હરીફાઈના યુગમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. પર્યાવરણ બચાવ માટે અને સ્વાસ્થય સારૂ રાખવા સાયક્લિંગ સારી કસરત માનવામાં આવે છે. જે સંદેશ દ્વારા જામનગરના ૪૭ વર્ષીય યુવાને ૮ રાજયનું ૧૧૬ દિવસમાં પ્રવાસ કરીને અંદાજે ૬૦ હજારથી વધુ લોકોને મળીને આ સંદેશ આપ્યો છે.

જામનગર શહેરના નંદવન સોસયટીમાં રહેતા ૪૭ વર્ષીય ગોવિંદ હમીર નંદાણીયાએ પર્યાવરણ બચાવ માટેનો સંદેશ આપવા ૮ રાજયનો પ્રવાસ ખેડયો. ૧૧૬ દિવસમાં ૭૯૦૦ કિમી યાત્રા પુર્ણ કરીને જામનગર પહોંચ્યા, ત્યારે આહિર સમાજના આગેવાનો દ્રારા સન્માનિત કરીને આવકાર્વામાં આવ્યા હતા. ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદ હામિર નંદાણિયાએ ગત ૨૮ જુન ૨૧ના રોજ જામનગરથી સાયકલ યાત્રા શરૂ કરી હતી. ૩ માસ અને ૨૬ દિવસ એટલે કે, ૧૧૬ દિવસમાં કુલ ૭૯૦૦ કિમીનો પ્રવાસ ખેડીને પરત ફર્યા હતા. ૮ રાજયમાં સાયકલથી પ્રવાસ પૂર્ણ કર્યો હતો. ભારતના ૮ રાજયમાં સાયકલથી પ્રવાસ કરીને વિવિધ જગ્યાએ વિવિધ લોકોને અને સંસ્થાઓને મળીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ, કાશમીર, લદાખ,હિમાચલ પ્રદેશ , હરીયાણા સહીતના ૮ રાજયમાં સાયકલથી પ્રવાસ ખેડીને અડધા લાખથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવ અને સાયકલ ચલાવવા અંગે અપીલ કરી છે. ગોવિંદ નંદાણિયાએ ૧૧૬ દિવસના પ્રવાસમાં દેશના ૮ રાજયમાં વસતા ૬૦ હજારથી વધુ લોકોને મળીને પર્યાવરણ બચાવવા અંગે સંદેશ આપ્યો છે. સાયકલ ચલાવવાથી સારી કસરત થાય છે, અને નિયમિત સાયકલનો પ્રવાસ ન થઈ શકે તો સપ્તાહમાં એક દિવસ સાયકલનો પ્રવાસ કરવો જોઈએ. જે માટે મિત્ર, સ્નેહીજનો સાથે મળીને સાયક્લિંગ માટે ગ્રુપ બનાવીને આસપાસના સ્થળો પર સપ્તાહમાં એક દિવસનો પ્રવાસ કરવો જોઈએ. પર્યાવરણ બચાવવા માટે અને પોતાના સ્વાસ્થયને જાળવવા માટે સપ્તાહમાં એક દિવસ રજાના દિવસે સાયક્લિંગ કરવુ જોઈએ. અનેક લોકોએ અપીલને અપનાવીને સપ્તાહમાં એક દિવસ સાયકલથી પ્રવાસનું આયોજન અને અમલીકરણ શરૂ કર્યુ છે. સાયકલથી ૮ રાજયમાં પ્રવાસમાં સૌથી વધુ પ્રેમ, આદર, સત્કાર, મહેમાનગતિ,માન સન્માન ગુજરાતમાં મળ્યું. ગુજરાતના લોકો વધુ માયાળુ હોવાનુ ગોવિંદ નંદાણિયાએ જણાવ્યુ. સાથે પ્રવાસ દરમિયાન જમ્મુ કાશમીર અને લદાખ વિસ્તારમાં સુરક્ષા એજન્સીના જવાનોએ ખુબ સહકાર અને મદદરૂપ થયા. સાયકલ સાથે દૈનિક ૧૦ કલાકનો અને સરેરાશ ૧૦૦થી ૧૨૦ કીમીનો પ્રવાસ કરતા. ૧૧૬ દિવસમાં બે ટાયર, પેન્ડલ બદલવવા પડયા અને પાંચ વખત સાયકલને રીપેર કરી હતી. કેટલાક વિસ્તારમાં ચાલીને પ્રવાસ પુર્ણ કર્યો. દિવસના અજવાળે જ પ્રવાસ કરતા. તા. ૧૫ ઓગષ્ટે કારગીલ વોર મેમોરીયલમાં જવાનો સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.

Next Story