રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના ઘરે ACBનું સર્ચ ઓપરેશન,રૂ. 800 કરોડના કૌભાંડ મામલે કરવામાં આવી છે ધરપકડ

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી છે.

New Update
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના ઘરે ACBનું સર્ચ ઓપરેશન,રૂ. 800 કરોડના કૌભાંડ મામલે કરવામાં આવી છે ધરપકડ

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી છે. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યાથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACBટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.ગાંધીનગર માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી તપાસમાં ACBની ટીમે 31 હજાર રોકડ રકમ હાથ લાગી છે તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબજે કર્યા છે. વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો આ સર્ચ ઓપરેશન લગભગ 4 કલાક સુધી ચાલ્યું હતું રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગત ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

Read the Next Article

ભરૂચ: સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી પરિવાર સાથે કરાવ્યું મિલન

રાયગઢ જિલ્લાના વતની ભિક્ષુક સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો

New Update
  • ભરૂચની સેવાયજ્ઞ સમિતિનું સેવાકાર્ય

  • ભિક્ષુક વ્યક્તિને આપ્યું નવજીવન

  • સિવિલ હોસ્પિટલમાં કરાવી સારવાર

  • પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

  • કાર્યની સૌ કોઈએ કરી પ્રસંશા

ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ ભિક્ષુક વ્યક્તિને નવજીવન આપી એમના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય રાજેશ ક્રિષ્ના ચૌધરી થોડા મહિના પહેલાં અજાણી સેવાભાવી વ્યક્તિએ ફોન દ્વારા ભિક્ષુક હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઇ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપતાં ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઇ આવી અનાથ ઘરડા ઘરમાં રાખ્યાં હતાં.
સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા. રાજેશભાઈ ના કહેવા મુજબ તે મહાડ, રાયગઢ જિલ્લાના વતની છે.તેમના પત્ની અને બે સંતાનો સાથે ત્યાં રહેતાં હતા. સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 8 મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો. પોતે પથારીવસ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યાં હતાં ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતાં ભટકતાં ભરૂચ આવી ગયા હતા.
સંસ્થાના સ્વયંસેવક  પૂનમચંદ કાપડિયાએ એમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને સર્જરી કરાવી કુત્રિમ પગ લગાવી આપ્યો હતો ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે. સાથે સાથે સેવાયજ્ઞ સમિતિએ એમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.