ચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હડતાળ પાછી ખેંચી

આવતીકાલથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે

New Update
ચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલોએ હડતાળ પાછી ખેંચી

સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ.કેરિયલની પટણા હાઇકોર્ટના બદલી કરવા અંગેની ભલામણ ના વિરોધમાં હડતાળ પર ઉતરેલા ગુજરાત હાઇકોર્ટના વકીલોને હડતાલ પાછી ખેંચવા નો નિર્ણય કર્યો છે. આવતીકાલથી તમામ વકીલો ફરી કાર્યરત થઈ જશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે મુલાકાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ એસ.કરિયલની પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટના કોલેજીયમની ભલામણના સમાચાર મળતાં જ ગુજરાત હાઇકોર્ટના વકીલોમાં નારાજગી વ્યાપી હતી.

Advertisment

ખિન્ન થયેલા ગુજરાત હાઈકોર્ટના વકીલ હડતાળ પર ઉતરી ગયા હતા. જસ્ટિસ નિખિલ કેરિયલની સૂચિત બદલીના વિરોધમાં હાઇકોર્ટના વકીલોએ ગત શનિવારે ગેટ નંબર-2 પાસે શાંતિપૂર્ણ દેખાવો યોજ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને પગલે હાઇકોર્ટની વિવિધ કોર્ટમાં કોર્ટ કામગીરી ખોરવાઈ હતી. હાઇકોર્ટ ખાતે વકીલોની હડતાલ એસ.જી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને નાગરિકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.આ મામલે ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિયેશન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર સમક્ષ રજૂઆત કરી હતી.

જે બાદ એડવોકેટ એસોસિએશનના સાત સભ્યો નું પ્રતિનિધિ મંડળ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલ કેરિયલ ની બદલી અંગે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ને મળ્યું હતું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ કહ્યું હતું કે, 'તમારી માંગ યોગ્ય છે પરંતુ વકીલોએ હડતાળ પર ન જવું જોઈએ ચીફ જસ્ટિસ સાથે મુલાકાત બાદ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનની બેઠક યોજાઈ હતી. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનના બેઠકમાં હડતાલ પાછી ખેંચવા નો નિર્ણય લેવામાં આવ્યો છે

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment
Latest Stories