અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પરના માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકો પરેશાન

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે,પરંતુ આ માર્ગ પર જે ઓવરબ્રિજ કાર્યરત થયા છે,તેના પર મસ મોટા ગાબડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. 

New Update

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે,પરંતુ આ માર્ગ પર જે ઓવરબ્રિજ કાર્યરત થયા છે,તેના પર મસ મોટા ગાબડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેનમાં રૂપાંતર ની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી એ ચાલી રહેલા કામને લઈને વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે. ચિલોડા થી હિંમતનગર સુધી લગભગ ત્રણ જેટલા ઓવરબ્રિજનું કામ ખોરંભે પડ્યું છે,જોકે પાંચ જેટલા ઓવરબ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ તૈયાર ઓવરબ્રિજ પર ડામર ઉખડી જવાને લઈ અકસ્માત થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાહન ચાલકોની વારંવાર ની રજૂઆત છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી પણ હલતું નથી સમારકામ કરવામાં પણ હાઇવે ઓથોરિટી આળસ કરી રહ્યું હોવાની ફરિયાદો વાહન ચાલકોમાં ઉઠવા પામી છે.વાહન ચાલકો મોટો ટેક્સ ટોલ બુથ પર ભરતા હોય છે પરંતુ યોગ્ય સુવિધાઓ વાહન ચાલકોને ન મળવાના કારણે વાહન ચાલકો સરકાર પર અને હાઇવે ઓથોરિટી પર રોષ વ્યક્ત કરી રહ્યા છે.

એક તરફ ઘણા લાંબા સમયથી સહકારી જીન ચાર રસ્તા પર ઓવરબ્રિજની કામગીરી મંથર  ગતિએ ચાલી રહી છે પરંતુ અવરજવર માટે ઓવરબ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડ પણ ખરાબ હાલતમાં હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ દ્વારા હાઇવે ઓથોરિટીને અનેક વાર રજૂઆત કરી છે. અને આ અગાઉ હાઇવે બ્લોક કરી વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ હાઇવે ઓથોરિટી દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.