અમદાવાદ: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, ગુજરાત યુનિવર્સિટીમાં બનશે 5Gની લેબ

વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી પહોંચ્યા છે.

New Update
અમદાવાદ: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, ગુજરાત યુનિવર્સિટીમાં બનશે 5Gની લેબ

વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં કેન્દ્રીય રેલવે મંત્રી ગુજરાત યુનિવર્સીટીમાં યુવાઓ સાથે ડ્રાઈવિંગ ડબલ એન્જિન પર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાત યુનિવર્સીટીમાં 5G લેબ બનશે. કેન્દ્રીય કોમ્યુનિકેશન અને IT મંત્રીએ તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ડબલ એન્જીનની સરકારમાં આવનારા 2-3 મહિનામાં નેટવર્ક ઉભું કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રપોઝલ આવ્યા બાદ 24 કલાકમાં એપ્રુવલ આપવાની બાંહેધરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટરનૅશન ટ્રેડ એન્ડ બિઝનેસ કોર્સ શરુ થયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ આ કાર્ષનો શુભારંભ કરાવ્યો હતો મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્ય માટે માઈન્ડ સેટ જરૂરી છે. પીએમ મોદી અમને જે માર્ગદર્શન આપે છે તે માઈન્ડ સેટ છે. આપણે ત્યાં રેલવેમાં દરરોજ 2.5 કરોડ જનતા મુસાફરી કરે છે. ત્યારે શહેરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની વાત પ્રધાનમંત્રીએ કરી હતી. સ્ટેશનને સીટી સેન્ટર બનાવવું છે. ત્રણ સ્ટેશન બનાવ્યા બાદ પ્રધાનમંત્રીએ કહ્યું આવા 200 સ્ટેશન બનાવવા છે. જેથી અમે લાંબા સમયની મહેનત બાદ 50 સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરી લીધી છે. મને હતું કે અમે સારી ડિઝાઇન બનાવી છે પણ મિટિંગ સમયે પ્રધાનમંત્રી ખુશ નહોતા. મિટિંગ બાદ રાત્રે 11 વાગે પ્રધાનમંત્રીનો મને કોલ આવ્યો કે આ ડિઝાઇન આજ માટે તો સારી છે, પણ સ્ટેશનની ડિઝાઇન આગામી 25 વર્ષ ને જોઈને કરવી જોઈએ. આ નેતૃત્વ છે જે આજનું અને ભવિષ્યનું બંને વિચારે છે

Read the Next Article

નશાકારક દવાના દુરુપયોગ-ગેરકાયદે વેચાણને નાથવા રાજ્યના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા સર્ચ…

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના

New Update
MixCollage-09-Jul-2025-08-36-PM-6592

ગુજરાત રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી તા. 9 જુલાઇ-2025 બપોરે 12 વાગ્યાથી રાજ્યભરના મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસ દ્વારા મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આવરી લેવાતી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણપ્રતિબંધિત દવાઓનો જથ્થોનિયમોની વિરુદ્ધ વધુ પડતો દવાઓનો સંગ્રહ અને મેડિકલ સ્ટોર્સ દ્વારા રાખી ન શકાય તેવી દવાઓના વેચાણને અટકાવવાનો તથા નશાકારક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ અટકાવવાનો આ ચેકીંગ અભિયાનનો મુખ્ય હેતુ છે. આ મેગા ચેકીંગ અભિયાનમાં રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ મથકના ઈનચાર્જલોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસ.ઓ.જી.) અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓના સંકલનમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી ડીવાયએસપી/ડીસીપીના સુપરવિઝન હેઠળ ચલાવવામાં આવી રહી છે. જેમાં તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવીને મેડિકલ સ્ટોર્સ ખાતે દરોડા પાડી બારીક ચેકીંગ કરી રહ્યા છે. આ ચેકિંગમાં ખાસ કરીને શાળાઓકોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક આવેલી મેડિકલ સ્ટોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં નશાકારક દવાઓના દુરુપયોગની શક્યતા વધુ હોય છે.

જોકેખાસ કરીને જે દવા કન્ટેન્ટનો નશા માટે દુરુપયોગ થઈ શકે છેતેનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતું હોવાનું જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એમીડોપાયરિનફેનાસેટિનનિયાલામાઇડક્લોરામ્ફેનિકોલફેનીલેફ્રાઇનફ્યુરાઝોલિડોનઓક્સિફેનબુટાઝોન તેમજ મેટ્રોનીડાઝોલનો સમાવેશ થાય છે. આ દવાઓ ફક્ત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચાવી જોઈએઅને તેનું ગેરકાયદેસર વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ ચેકીંગ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લામાં 282 મેડિકલ સ્ટોર્સનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એકNDPS એક્ટ હેઠળનો કેસ સહિત કુલ 45 કેસ નોંધવામાં આવ્યા છે. તે ઉપરાંત સુરત શહેરમાં 333 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરી એક મેડિકલ સ્ટોરમાંથી 93 કોડીન સીરપ તેમજ એક મેડિકલ સ્ટોરમાંથી 15 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે ઉપરાંત પાટણ જિલ્લામાં ચાર વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોર્સનવસારીમાં 184જામનગરમાં 66 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગભરૂચ જિલ્લામાં 258 સ્થળે ચેકીંગ તેમજ આહવા ડાંગમાં 23 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત દાહોદ જિલ્લામાં કુલ 129 મેડિકલ સ્ટોરપંચમહાલ જિલ્લામાં 112 અને ગાંધીનગર જિલ્લામાં 317 મેડિકલ સ્ટોર્સમાં ચેકીંગ હાથ ધરાયું હતુંઅને આ અભિયાન રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.

Latest Stories