અમરેલી : 'બેટા' શબ્દ કહેતાં જ 15 શખ્સો યુવાન પર તૂટી પડ્યા, સારવાર દરમ્યાન મોત નિપજતા MLA જીજ્ઞેશ મેવાણી દોડી આવ્યા...

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મૃતકના સ્વજનોને સાંત્વના આપવા અમરેલી પહોચ્યા હતા. પીડિત પરિવારની મુલાકાત લઈ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

New Update
  • લાઠી તાલુકાના જરખિયા ગામમાં બની હત્યાની ઘટના

  • સામાન્ય શબ્દથી થયેલી ઘટનાએ જાતિવાદી હિંસા ફેલાવી

  • બેટા શબ્દ બોલનાર યુવાન પર 15 લોકોનો જીવલેણ હુમલો

  • મારામારીની ઘટના હત્યામાં પરિણમતા પોલીસ તપાશ શરૂ

  • યુવકનું મોત નિપજતા MLA જીજ્ઞેશ મેવાણી દોડી આવ્યા 

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી હત્યાની ઘટનામાં પરિણમી હતીત્યારે હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઇ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણમી છે. ગત તા. 15 મે-2025ના રોજ 20 વર્ષીય નિલેશ રાઠોડએ દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને 'બેટાશબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેરાયા હતા. તેમણે નિલેશ રાઠોડની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણી કરી હતી. જોકેપરિસ્થિતિ વણસતા ચોથા ભરવાડએ ફોન કરીને વધુ માણસોને બોલાવ્યા હતા. આશરે 15 જેટલા લોકોએ યુવકને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો.

યુવકને માથાના પાછળના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. બચાવ માટે આવેલા અન્ય લોકો પર પણ હુમલો કર્યો હતો. નિલેશ રાઠોડ ઇજાગ્રસ્ત થતા પ્રથમ અમરેલી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં ગત રાત્રીએ તેને દમ તોડ્યો હતો અને મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી. આરોપીઓમાં ચોથા ભરવાડવિજય ટોટાભાવેશ મુંધવા અને જતીન મુંધવા સહિત 15 લોકોનો સમાવેશ થાય છે.

પીડિતે જાતિ આધારિત અપમાન અને હુમલા અંગે ફરિયાદ નોંધાતા અમરેલી રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફબનાવના પગલે વડગામમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મૃતકના સ્વજનોને સાંત્વના આપવા અમરેલી પહોચ્યા હતા. પીડિત પરિવારની મુલાકાત લઈ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં છેલ્લા 2 હજાર વર્ષથી દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છેત્યારે વધુ એક ઘટનાના પગલે તાત્કાલિક અસરથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીજ્ઞેશ મેવાણીએ માંગ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.