Connect Gujarat
ગુજરાત

અમરેલી : જાફરાબાદના ગીરીરાજ ચોકમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત, 5થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ...

અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું.

X

અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં જુનવાણી મકાનની દીવાલ ધરાશાયી થતાં 2 લોકોના મોત નિપજ્યાં હતા.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું. જે મકાનના બીજા માળે રહેલ દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયીની ઘટનાના પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. દીવાલ ધરાશાહી થતાં જર્જરીત મકાન નજીક ચાની કીટલી ચલાવતા આધેડનું કાટમાળ નીચે દબાય જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સાથે જ અન્ય 5થી 6 જેટલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહુવાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 2 લોકોના મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story