લાઠી તાલુકાના આંબરડી ગામનો ચકચારી બનાવ
ભારે પવન-વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી
આંબરડીમાં આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત
માતા, પુત્ર-પુત્રી સહિત 5 લોકોના મોતથી અરેરાટી
અધિકારીઓ સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસતા આકાશી વીજળી પણ ત્રાટકી હતી, ત્યારે આંબરડી ગામે આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. આંબરડી ગામમાં મૃતકોના પરીવાર પર શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કપાસની ખેતીકામ કરી પરત ફરી રહેતા પાંચેય મજૂરોનો આકાશી આફતે જીવ લીધો છે, જ્યારે 3 લોકો ગભરાઈ જતા ઢંસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ 5માંથી એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હોવાની હાલ વિગત સામે આવી છે. જેમાં 35 વર્ષીય ભારતી સાંથળીયા, 18 વર્ષીય શિલ્પા સાંથળીયા, 18 વર્ષીય રૂપાલી વણોદિયા, 5 વર્ષીય રિદ્ધિ સાંથળીયા અને 5 વર્ષીય રાધે સાંથળીયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નાના એવા ગામમાં એક સાથે 5 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવના પગલે લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો હતો.