અમરેલી : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાને લઈને અદ્ભુત રંગોળી સહિત શ્રી રામ નામની માનવસાંકળ બનાવાય

દેશભરમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના સાવરકુંડલા ખાતે પણ રામમય વાતાવરણ જોવા મળ્યું છે.

New Update
અમરેલી : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠાને લઈને અદ્ભુત રંગોળી સહિત શ્રી રામ નામની માનવસાંકળ બનાવાય

અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉમંગ દેશભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર અમરેલી જિલ્લા સહિત સાવરકુંડલા શહેર જાણે અયોધ્યામય બન્યું હોય તેમ સોળે કળાએ સાજ શણગાર સાથે જોવા મળી રહ્યું છે.

દેશભરમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના સાવરકુંડલા ખાતે પણ રામમય વાતાવરણ જોવા મળ્યું છે. 1 હજાર ફૂટની રામની ધજા અને સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા વિદ્યાર્થીઓએ ઉભા રહીને શ્રી રામ લખી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય હીરા સોલંકી સાથે દિલીપ સંઘાણીના નાના ભાઈ મુકેશ સંઘાણી સહિતના સંતો-મહંતો દ્વારા સ્વામીનારાયણ ગુરુકૂળથી ભવ્ય રામ રથયાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે જાણે આખું સાવરકુંડલા શહેર રામમય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. લોકોએ ઠેર ઠેરથી રામ રથયાત્રાને પુષ્પવર્ષા કરી વધાવી હતી. આ સાથે જ સાવરકુંડલા શહેર પણ રાત્રિના રોશનીના અદભુત લાઈટ ડેકોરેશનથી સજ્જ જોવા મળી રહ્યું છે. કાર્યક્રમના અંતમાં વડોદરામાં સર્જાયેલી ગંભીર દુર્ઘટના અંગે મૌન પાળવામાં આવ્યું હતું. બાદ રાષ્ટ્રગીત પર સલામી અર્પણ કરવામાં આવી હતી.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉમંગ દેશભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે સોળે કળાએ શણગાર સજેલા સાવરકુંડલાની નાવલી નદીના પટ્ટમાં એક અદ્ભુત રંગોળી તૈયાર કરવામાં આવી છે. આંખોને આંજી દે તેવી અયોધ્યા મંદિરની આબેહૂબ રંગોળી 10 કલાકની જહેમત બાદ તૈયાર કરાય છે. હાથમાં રામ મંદિરની કલાકૃતિ ચિત્ર રાખીને કલર દ્વારા જમીન પર રંગોળીના સર્જકકારે અયોધ્યામાં બિરાજતા ભગવાન રામના રામ મંદીરને કલાકારે લાંબી મહેનત બાદ તૈયાર કરતાં કાબિલેદાદ છે.

સાવરકુંડલાની જમીન પર અયોધ્યાનું રામ મંદિર જોઈને દર્શનાર્થીઓ તો અકલ્પનીય કલાકૃતિની સરાહના કરી રહ્યા છે. જોકે, અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે જ્યારે જવાઈ પણ અત્યારે ઘર બેઠા ગંગા સમાન રામ મંદિર સાવરકુંડલાની ધરતી પર મઢનાર કલાકાર પણ માત્ર ઈશ્વરની કૃપાથી આ કાર્ય કરી રહ્યા છે. રંગોળી પર રામ મંદિર કંડારનારા કલાકાર રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિરના પૂજારી છે. રંગોળી પર મંદિરો આબેહૂબ બનાવવાનો શોખ આજે એક મુઠી ઊંચેરા માનવીની જેમ રંગોળી કલાકારે ધન્યતા અનુભવી છે.

જોકે, દરેકના રોમે રોમમાં રામ વસતા હોય, અયોધ્યા જેવી જ અદભુત કલાકૃતિ સાવરકુંડલાની નાવલી નદીમાં આકાર પામી છે, ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના ભાજપના નેતાઓ પણ અયોધ્યાના રામ મંદિરના દર્શન સાવરકુંડલા ખાતે કરીને સાવરકુંડલા રામમાં લિન થયું હોવાનો સનાતની અહેસાસ અનુભવ્યો હતા.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.