અમરેલી : લીલીયાના મુખ્ય બજારમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતાં નગરજનો ત્રાહિમામ...

લીલીયા શહેરમાં ગટરની કુંડીઓ સફાઈના અભાવે ઉભરાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી અકસ્માતના બનાવો પણ બને છે,

New Update

લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં નગરજનોને હાલાકી

ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ

મુખ્ય બજારમાં લોકોને આવવું-જવું મુશ્કેલ બન્યું

તંત્રમાં વારંવારની રજૂઆત છતાં કામગીરી નહીં

સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ

અમરેલી જિલ્લાના લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છેત્યારે તંત્ર દ્વારા લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અમરેલી જિલ્લાના લીલીયામાં છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભના ગટરના પાણી મુખ્ય બજાર અને નાવલી બજારમાં ઉભરાય રહ્યા છે. અવાર નવાર સરપંચ અને તંત્રને ગ્રામજનો અને વેપારીઓએ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં આવતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તો બીજી તરફલીલીયા શહેરમાં ગટરની કુંડીઓ સફાઈના અભાવે ઉભરાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાથી અકસ્માતના બનાવો પણ બને છેજ્યારે રોગચાળો પણ ફાટી નીકળવાની લોકોમાં દહેશત વર્તાય રહી છે. જોકેલીલીયામાં ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વર્ષો જૂનો છે. પરંતુ તંત્ર દ્વારા લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

વલસાડ : મૃતક રિયાના ઓર્ગનથી અનામતાએ શિવમની કલાઈ પર રાખડી બાંધતા ભાવુકતા ભર્યો માહોલ છવાયો

વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,

New Update
  • રક્ષાબંધન પર સર્જાયો અનોખો સંયોગ

  • મૃતક બહેનના ભાઈને મળ્યા આશીર્વાદ

  • સ્વ.રિયાના હાથનું કરાયું હતું ડોનેટ

  • મુંબઈની અનામતામાં હાથનું કરાયું હતું ટ્રાન્સપ્લાન્ટ

  • અનામતાએ સ્વ.રિયાના ભાઈને બાંધી રાખડી

  • ઈશ્વર અને અલ્હાનું દેવત્વ ખરા અર્થમાં સાકાર થયું  

વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,ત્યારે આજના આ પવિત્ર પ્રસંગે સ્વર્ગસ્થ બહેનના જ હાથથી ભાઈ શિવમને આશીર્વાદ મળતા ભાવુકતા ભર્યો માહોલ છવાય ગયો હતો.

વલસાડની પ્રેમલાગણી અને માનવતાની મિસાલની એક અનોખી ઘટના દેશભરમાં હૃદયસ્પર્શી બની હતી.સપ્ટેમ્બર 2024માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઈતિહાસમાં સૌથી પહેલીવાર એટલી નાની ઉંમરે માત્ર 9 વર્ષની બાળકીના હાથનું આ દાન થયું હતું. સ્વ. રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડો.નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાવમુંબઈની રહેવાસી 15 વર્ષીય અનામતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથીપરંતુ આજે સ્વ. રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠયો છે.

રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ કંઈક એવી હતી કેઆંખો પણ લાગણીસભર આંસુઓથી છલકાઈ ગઈ હતી.પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના ડોનેટ કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા હતા.યુવાનીમાં ડગ માંડતી અનામતાને તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી હતી.તેનો સમગ્ર પરિવાર રિયાનાં પરિવારનોડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે. તેથી જ આ રક્ષાબંધન પર એ ઋણ અદા કરવા અનમતા અહેમદ વલસાડ આવી પહોંચી હતીરિયાના હાથથી ભાઈ શિવમના હાથ પર અનમતાએ જ્યારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધનનો માહોલ રચાય ગયો હતો.સ્વ. રિયાના હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વને ખરા અર્થમાં સાકાર કરી ગયું હતું.