અમરેલી : ચક્કરગઢના પાટીયા પાસે સિંહણને કચડીને વાહન ચાલક ફરાર,વન વિભાગે શરૂ કરી તપાસ

રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીઅને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો

New Update
  • અમરેલીમાં અકસ્માતમાં સિંહણનું મોત

  • રોડ ક્રોસ કરતી વખતે સર્જાય ઘટના

  • અજાણ્યા વાહન ચાલકે સિંહણને લીધી અડફેટે

  • પાંચ વર્ષીય સિંહણનું નીપજ્યું મોત

  • વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ 

અમરેલી તાલુકામાં ચક્કરગઢના પાટીયા પાસે વહેલી સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અમરેલીનાં ચક્કરગઢના પાટીયા પાસે વહેલી સવારે રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી,અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો.

લીલીયા શેત્રુંજી વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વન વિભાગની અલગ-અલગ ટીમો અકસ્માત સર્જનાર વાહનની ઓળખ માટે તપાસ કરી રહી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..