-
અમરેલીમાં અકસ્માતમાં સિંહણનું મોત
-
રોડ ક્રોસ કરતી વખતે સર્જાય ઘટના
-
અજાણ્યા વાહન ચાલકે સિંહણને લીધી અડફેટે
-
પાંચ વર્ષીય સિંહણનું નીપજ્યું મોત
-
વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ
અમરેલી તાલુકામાં ચક્કરગઢના પાટીયા પાસે વહેલી સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અમરેલીનાં ચક્કરગઢના પાટીયા પાસે વહેલી સવારે રોડ ક્રોસ કરતી વખતે એક સિંહણને અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અને સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી,અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો હતો.
લીલીયા શેત્રુંજી વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વન વિભાગની અલગ-અલગ ટીમો અકસ્માત સર્જનાર વાહનની ઓળખ માટે તપાસ કરી રહી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.