અમરેલી:જિલ્લા કલેક્ટરને ધાતરવડી ડેમ બચાવવા માટે ખેડૂતોની રજૂઆત

રાજુલામાં ભાક્ષી ગામ પાસે ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ છે,જે ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર જોખમ ઉભું થઇ રહ્યું છે

New Update
  • રાજુલાના ધાતરવડી ડેમ સામે ઉભુ થયુ  જોખમ

  • ડેમ ખેડૂતો માટે છે જીવાદોરી સમાન 

  • ક્વોરી લીઝમાં બ્લાસ્ટિંગથી ડેમ સામે જોખમ

  • ખેડૂતોમાં કવોરીની કામગીરીથી રોષ

  • ડેમની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર 

Advertisment

 

 અમરેલી જિલ્લાના રાજુલામાં ભાક્ષી ગામ પાસે ઘાતવરડી ડેમ-1 સમગ્ર પંથકના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે,અને ડેમ 100 ટકા ભરેલો છે. બાજુમાં 2 મહાકાય ક્વોરી લીઝમાં બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર જોખમ ઉભું થઇ રહ્યું છે. જે અંગે ડેમ બચાવવા માટે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

અમરેલી જિલ્લાના રાજુલામાં ભાક્ષી ગામ પાસે ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ છે,જે ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર જોખમ ઉભું થઇ રહ્યું છે,ત્યારે આ ઘટનાથી ચિંતિત ખેડૂતો અને ગામના સરપંચમાં રોષની લાગણી પ્રસરી છે.

અગાઉ લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહિ મળતા મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અમરેલી કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા,અને ધાતવરડી ડેમ બચાવો ભાઈ બચાવોના સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ,27 પંચાયતીરાજની યોજાશે ચૂંટણી

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

New Update
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ

  • મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ભરાયા

  • તાલુકા પંચાયતમાં પણ નોંધાઈ ઉમેદવારી

  • 27 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી

  • ઉમેદવારોએ  જીતનો કર્યો છે દાવો

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે.આ ચૂંટણીમાં 29865 પુરુષ અને 28535 મહિલા મતદારો મળીને કુલ 58400 મતદારો નોંધાયા છે,અને ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી,અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો.

જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસમડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા.જેમાં કોસમડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્ય ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા,તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટાચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવીંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો.