અમરેલી:જિલ્લા કલેક્ટરને ધાતરવડી ડેમ બચાવવા માટે ખેડૂતોની રજૂઆત

રાજુલામાં ભાક્ષી ગામ પાસે ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ છે,જે ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર જોખમ ઉભું થઇ રહ્યું છે

New Update
  • રાજુલાના ધાતરવડી ડેમ સામે ઉભુ થયુ  જોખમ

  • ડેમ ખેડૂતો માટે છે જીવાદોરી સમાન 

  • ક્વોરી લીઝમાં બ્લાસ્ટિંગથી ડેમ સામે જોખમ

  • ખેડૂતોમાં કવોરીની કામગીરીથી રોષ

  • ડેમની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર 

અમરેલી જિલ્લાના રાજુલામાં ભાક્ષી ગામ પાસે ઘાતવરડી ડેમ-1 સમગ્ર પંથકના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે,અને ડેમ 100 ટકા ભરેલો છે. બાજુમાં 2 મહાકાય ક્વોરી લીઝમાં બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર જોખમ ઉભું થઇ રહ્યું છે. જે અંગે ડેમ બચાવવા માટે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

અમરેલી જિલ્લાના રાજુલામાં ભાક્ષી ગામ પાસે ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ છે,જે ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર જોખમ ઉભું થઇ રહ્યું છે,ત્યારે આ ઘટનાથી ચિંતિત ખેડૂતો અને ગામના સરપંચમાં રોષની લાગણી પ્રસરી છે.

અગાઉ લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ નહિ મળતા મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અમરેલી કલેકટર કચેરીમાં પહોંચ્યા હતા,અને ધાતવરડી ડેમ બચાવો ભાઈ બચાવોના સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.