Connect Gujarat
ગુજરાત

અમરેલી : સમઢીયાળા ગામે તળાવમાં ડૂબી જતાં પિતા, પુત્ર અને પુત્રીનું મોત, પંથકમાં વ્યાપી અરેરાટી...

તળાવના પાણીમાં એક યુવાન તથા 2 બાળકો ડૂબી જઈ મોતને ભેટતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાય જવા પામી

X

ખાંભા તાલુકાના સમઢીયાળા ગામનો ચકચારી બનાવ

તળાવમાં ડૂબી જવાથી પિતા, પુત્ર અને પુત્રીનું મોત

એકસાથે 3 લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામના તળાવમાં એકસાથે 3 લોકોના ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અમરેલીના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામ ખાતે આવેલ તળાવના પાણીમાં એક યુવાન તથા 2 બાળકો ડૂબી જઈ મોતને ભેટતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાય જવા પામી હતી. બનાવના પગલે ગ્રામજનો ઘટના સ્થળે ભેગા થયા હતા.

તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થાલે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે પિતા, પુત્ર અને પુત્રીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story