અમરેલી : સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે મગફળી પલળી, વેપારીઓને મોટું નુકશાન, તો શ્રમિકો બન્યા બેકાર...

વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં મગફળી પલળી, લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વેપારીઓને આવ્યો વારો

New Update
અમરેલી : સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે મગફળી પલળી, વેપારીઓને મોટું નુકશાન, તો શ્રમિકો બન્યા બેકાર...

અમરેલી જીલ્લામાં અચાનક વરસેલા વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં 1 હજાર મણ મગફળી પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થવાની સાથે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે APMCના સત્તાધીશોએ બોર્ડ લગાવીને મગફળી ખરીદી બંધ કર્યાની જાહેરાત કરી દેતા દિવાળી ટાંણે જ શ્રમિકો બેકાર બન્યા છે.

આ છે અમરેલી જિલ્લાનું સવારકુંડલા APMC સેન્ટર, જ્યાં દિવાળીના તહેવારોને લઈને ખેડૂતો દ્વારા કપાસ અને મગફળીના મબલખ પાકો ઠલવાઇ રહ્યા છે, ત્યારે ગતરોજ વરસેલા ધોધમાર વરસાદથી APMCમાં વેપારીઓએ ખરીદેલ 1 હજાર મણ મગફળી પલળી જતા મુશ્કેલીમાં વધારો થયો છે, જ્યારે વરસાદની વરાપ નીકળતા પલળી ગયેલી મગફળી તડકામાં સૂકવવામાં આવી રહી છે. ઉપરાંત APMCના પતરાના શેડમાં જાહેર બોર્ડ મારીને વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોને મગફળી ન લાવવાની જાહેર સૂચના કરવામાં આવી છે. જોકે, APMCમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો દિવાળી ટાંણે જ બેકાર બન્યા છે.

અમરેલીના ખાંભા ગીર, ધારી ગીર બાદ સાવરકુંડલામાં ખાબકેલા દોઢ ઇંચ વરસાદથી APMCના વેપારીઓની 3500 ગુણીઓ મગફળી પલળી ગઈ હતી. જેનો ડામ વેપારીઓ સાથે શ્રમિકોને પણ લાગ્યો છે. કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝીટ ધરાવતા સાવરકુંડલાના APMCમાં ખેડૂતો કે, વેપારીઓને પૂરતી સગવડતા ન હોય, ને ચારે તરફ વરસાદી પાણીથી કિચડનું સામ્રાજ્ય જોવા મળતા વેપારીઓને મોટું નુકશાન થયું છે. APMCના ઇન્ચાર્જ સેક્રેટરીએ 3500 ગુણી એટલે કે, 1 હજાર મણ મગફળી પલળી ગઈ હોય, અને જ્યાં સુધી વરસાદી વાતાવરણ રહેશે ત્યાં સુધી મગફળીની ખરીદી બંધ રાખી હોવાનું જણાવ્યુ હતું.

Read the Next Article

વલસાડ : મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર પડ્યું, એક બાળકીનું મોત, ઘટના CCTVમાં કેદ...

મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચતા મોત નીપજ્યું

New Update
  • પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું

  • મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર વૃક્ષ ધરાશાયી થયું

  • એક બાળકીનું મોતજ્યારે 2 બાળકોની હોસ્પિટલમાં સારવાર

  • વૃક્ષ ધરાશાયીની ઘટનાનો વિડિયોCCTVમાં પણ કેદ થયો

  • કરુણ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો

વલસાડ શહેરમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં 3 ભાઈ-બહેન પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારવલસાડ શહેરના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના 3 બાળકો જેમાં 18 વર્ષની સાચી15 વર્ષનો જીતકુમાર અને 10 વર્ષની બાળકી ધ્યાના આજે અબ્રામા ખાતે સ્કૂલથી છૂટીને બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે મોપેડ પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચી હતી. ધ્યાનાને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતીજ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનામાં ધ્યાનાનો ભાઈ જીત અને બહેન સાચીને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. જોકેસમગ્ર ઘટનાનો વિડિયોCCTVમાં કેદ થયો છેત્યારે આ કરુણ ઘટનાને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ સ્થળ પર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજG.E.B ના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતાઅને ધરાશાયી થયેલા વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેવરસાદને કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories