અમરેલી : સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે મગફળી પલળી, વેપારીઓને મોટું નુકશાન, તો શ્રમિકો બન્યા બેકાર...

વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં મગફળી પલળી, લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વેપારીઓને આવ્યો વારો

New Update
અમરેલી : સાવરકુંડલા APMCમાં વરસાદના કારણે મગફળી પલળી, વેપારીઓને મોટું નુકશાન, તો શ્રમિકો બન્યા બેકાર...

અમરેલી જીલ્લામાં અચાનક વરસેલા વરસાદના કારણે સાવરકુંડલા APMCમાં 1 હજાર મણ મગફળી પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થવાની સાથે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે APMCના સત્તાધીશોએ બોર્ડ લગાવીને મગફળી ખરીદી બંધ કર્યાની જાહેરાત કરી દેતા દિવાળી ટાંણે જ શ્રમિકો બેકાર બન્યા છે.

Advertisment W3.CSS

આ છે અમરેલી જિલ્લાનું સવારકુંડલા APMC સેન્ટર, જ્યાં દિવાળીના તહેવારોને લઈને ખેડૂતો દ્વારા કપાસ અને મગફળીના મબલખ પાકો ઠલવાઇ રહ્યા છે, ત્યારે ગતરોજ વરસેલા ધોધમાર વરસાદથી APMCમાં વેપારીઓએ ખરીદેલ 1 હજાર મણ મગફળી પલળી જતા મુશ્કેલીમાં વધારો થયો છે, જ્યારે વરસાદની વરાપ નીકળતા પલળી ગયેલી મગફળી તડકામાં સૂકવવામાં આવી રહી છે. ઉપરાંત APMCના પતરાના શેડમાં જાહેર બોર્ડ મારીને વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોને મગફળી ન લાવવાની જાહેર સૂચના કરવામાં આવી છે. જોકે, APMCમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો દિવાળી ટાંણે જ બેકાર બન્યા છે.

અમરેલીના ખાંભા ગીર, ધારી ગીર બાદ સાવરકુંડલામાં ખાબકેલા દોઢ ઇંચ વરસાદથી APMCના વેપારીઓની 3500 ગુણીઓ મગફળી પલળી ગઈ હતી. જેનો ડામ વેપારીઓ સાથે શ્રમિકોને પણ લાગ્યો છે. કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝીટ ધરાવતા સાવરકુંડલાના APMCમાં ખેડૂતો કે, વેપારીઓને પૂરતી સગવડતા ન હોય, ને ચારે તરફ વરસાદી પાણીથી કિચડનું સામ્રાજ્ય જોવા મળતા વેપારીઓને મોટું નુકશાન થયું છે. APMCના ઇન્ચાર્જ સેક્રેટરીએ 3500 ગુણી એટલે કે, 1 હજાર મણ મગફળી પલળી ગઈ હોય, અને જ્યાં સુધી વરસાદી વાતાવરણ રહેશે ત્યાં સુધી મગફળીની ખરીદી બંધ રાખી હોવાનું જણાવ્યુ હતું.

Read the Next Article

અંકલેશ્વર : ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ,27 પંચાયતીરાજની યોજાશે ચૂંટણી

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

New Update
  • ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ

  • મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ભરાયા

  • તાલુકા પંચાયતમાં પણ નોંધાઈ ઉમેદવારી

  • 27 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી

  • ઉમેદવારોએ  જીતનો કર્યો છે દાવો

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે,જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે,ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,જે પૈકી 12 ગ્રામ પંચાયતો સંવેદનશીલ છે.આ ચૂંટણીમાં 29865 પુરુષ અને 28535 મહિલા મતદારો મળીને કુલ 58400 મતદારો નોંધાયા છે,અને ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવનાર બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી,અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો.

જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસમડી અને દઢાલ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા.જેમાં કોસમડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવાએ પોતાની પેનલના 16 સભ્ય ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી હતી.

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા,તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાનબાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટાચૂંટણી માટે સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવીંદ દેવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો.