અમરેલી : ઘરફોડ ચોરી અને લૂંટ અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલાની LCBએ કરી ધરપકડ

ઘરફોડ ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અમરેલી : ઘરફોડ ચોરી અને લૂંટ અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલાની LCBએ કરી ધરપકડ

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરી, લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અનૈતિક પ્રવૃતિ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે લાલ આંખ કરીને ગુનાઓને ડામવા અમરેલી એલસીબી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોય, ત્યારે અમરેલી એસપી. હીમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી થોડા દિવસ પહેલા રાજુલાના આધેડ પાસેથી સોનાની ચેનની લૂંટ ચલાવનાર 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એલસીબીએ દબોચી લીધા હતા. 3 મહિના પહેલા લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે મોડી રાત્રિના આધેડ દંપતિ પર લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી હતી. જેમાં 2 આરોપીઓની અટકાયત કર્યા બાદ ઊલટ તપાસમાં મુખ્ય આરોપી પુનિયા ગણવા નામના મુખ્ય આરોપીને દાહોદ ખાતેથી અમરેલી પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. આરોપી પુનિયા ગણવા વિરુદ્ધ 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા હોવાની માહિતી અમરેલી એસપીએ આપી હતી. રાજ્યમાં હાહાકાર મચાવનાર આરોપીને અમરેલી એલસીબીએ પકડી હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Read the Next Article

ભરૂચ : વાલિયાના ડેહલી ગામે 20 હજાર વૃક્ષોના વાવેતર થકી માતૃવનનું નિર્માણ, વનમંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

New Update

વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે કરાયું આયોજન

"એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત કાર્યક્રમ

વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કાર્યક્રમ

વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું

મોટી સંખ્યામાં મહાનુભાવો-વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાનાવાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગતરાજ્યનાવનઅનેપર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાંમિયાવાંકી પદ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામ ખાતે "એક પેડ માં કે નામ 2.0" અભિયાન અંતર્ગત રાજયકક્ષાવનપર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જજળ સંપતી અને પાણી પુરવઠાગુજરાત રાજય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. 2 હેક્ટર જમીનમાં 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્વતા અંગે માર્ગદર્શન આપતા વનમંત્રીએ જણાવ્યું હતું કે,  ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માતા સાથોનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે. દુનિયાનો કોઈપણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહવાન કર્યુ હતું.PM મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેષી અભિગમને જનઆંદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા. ગતવર્ષ "એક પેડ માં કે નામ" અભિયાન અંર્તગત ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું. જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક 48 લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાસમાજીક વનીકરણ વર્તુળ ભરૂચ વિભાગના વન સંરક્ષક આનંદ કુમારવન વર્તુળ સુરત વિભાગના વન સંરક્ષક પુનિત નૈચ્યર, SRPF-CRPF કેમ્પના જવાનો, NCC કેડેડપોલીસ જવાનોસખી મંડળો સહિત માતાબહેનોશાળાના વિદ્યાર્થીઓવનકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories