અમરેલી : રાજસ્થાની ગેંગના "પુષ્પરાજો" ગીરના જંગલોમાંથી કરતાં હતા ચંદનના વૃક્ષોની તસ્કરી, જુઓ વનવિભાગની કાર્યવાહી...

ગીરના જંગલોમાંથી ચંદનના વૃક્ષોની તસ્કરીનો પર્દાફાશ, ખાંભા-ગીર વનવિભાગ દ્વારા 4 શખ્સોની અટકાયત કરાય

New Update
અમરેલી : રાજસ્થાની ગેંગના "પુષ્પરાજો" ગીરના જંગલોમાંથી કરતાં હતા ચંદનના વૃક્ષોની તસ્કરી, જુઓ વનવિભાગની કાર્યવાહી...

અમરેલી જિલ્લાના ગીરના જંગલોમાંથી થતી ચંદનના વૃક્ષોની તસ્કરીનો વનવિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં રાજસ્થાની ગેંગના 4 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં અગાઉ રાજસ્થાનની ચંદન ચોર ગેંગને વનવિભાગ દ્વારા ઝડપી લેવામાં આવી હતી. જેમાં રિમાન્ડ દરમ્યાન ગીરના જંગલોમાં આસપાસના સ્થાનિકો ચંદનના વૃક્ષોની તસ્કરીમાં સહભાગી હોવાના આધારે વનવિભાગ દ્વારા 200 કિલો ચંદનના વૃક્ષો અને ચંદનની છાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે હવે રાજસ્થાનથી આવી ગીરના જંગલોમાં રહીને ચંદનના વૃક્ષો કાપીને લઈ જવાની આ ઘટના વનવિભાગ માટે એક પડકાર હતી. જોકે, જંગલ વિસ્તારની બોર્ડર પર સતત ચોકી પહેરો રહેતો હોવા છતાં ચંદનના વૃક્ષોની કેવી રીતે તસ્કરી થતી તે મોટો સવાલ હતો, ત્યારે વનવિભાગે પણ સતર્કતા દાખવી ખાંભા ગીરના જંગલોમાંથી થતી ચંદનના વૃક્ષોની ચોરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં રાજસ્થાનની તસ્કર ટોળકીના 4 શખ્સોને 200 કિલો ચંદનના વૃક્ષો સાથે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે જ મદદગારી કરતા શખ્સોને પણ વનવિભાગે સાણસામાં લઈને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.