અમરેલી:વન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને સાવરકુંડલા વનવિભાગે ઝડપી પાડયા

અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
અમરેલી:વન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને સાવરકુંડલા વનવિભાગે ઝડપી પાડયા

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કરનાર શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલાના અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કર્યો હોવાની બાતમીને આધારે વન વિભાગના આર.એફ.ઓ. પ્રતાપ ચાંદુ અને ફોરેસ્ટર યાસીન જુણેજા સહિતની વનતંત્રની ટીમે દરોડો પાડતા બે શિકારીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.

ઘટના સ્થળેથી દેશી જામગરી બંધુક, દેશી બંદૂકનો પાવડર, કુહાડી, પાઇપ તેમજ નીલગાયનો દેશી બંધુકથી કરેલો શિકાર સહિતની સાધન સામગ્રી વન વિભાગે કબજે લઈને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા બંને શિકારીઓને આબાદ રીતે ઝડપી પાડવામાં વન વિભાગ સફળ થયું હતું.નીલગાયના શિકારી સતાર મોરી અને સુલતાન લાડક દ્વારા અગાઉ નીલગાય કે અન્ય કોઈ વન્ય પ્રાણીઓના શિકાર કર્યા છે કે કેમ તે અંગે વનતંત્ર દ્વારા આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે અને બંને શિકારીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી

Read the Next Article

ભરૂચ-અંકલેશ્વર રોડ પર ભુત મામાની ડેરી પાસે વરસાદી કાંસમાં મગર નજરે પડ્યો

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તળાવો ઓવરફ્લો થતા મગરો નજરે પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ભરૂચ-અંકલેશ્વર માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસે વરસાદી

New Update
mgr

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તળાવો ઓવરફ્લો થતા મગરો નજરે પડવાની ઘટનાઓ સામે આવી રહી છે.

ત્યારે ભરૂચ-અંકલેશ્વર માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસે વરસાદી કાંસમાં ફરી એકવાર મગર નજરે પડતા તેને જોવા માટે વાહન ચાલકોએ લાઈનો લગાવી હતી.
જો કે ક્રોકોડાયલ પાર્ક તરીકે જાણીતા બનેલ આ સ્થળે અવારનવાર મગરો લટાર મારતા હોવાનું સામે આવ્યું છે.તેવામાં વન વિભાગ દ્વારા આ સ્થળ પાસે જાહેર માર્ગ પર મગરથી સાવધાન રહેવા માટેના બેનરો પણ લગાવ્યા છે.આજે ભૂતમામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.
Latest Stories