Connect Gujarat
ગુજરાત

અમરેલી : છતડીયા ગામ નજીક એસટી બસ પલટી, 15થી વધુ મુસાફરોને પહોચી ઈજા...

જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામ નજીક એસટી બસે પલટી મારી જતાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી.

X

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામ નજીક એસટી બસે પલટી મારી જતાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામના પાટીયા નજીક ધોરાજી-મહુવા રૂટની એસટી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસ રોડની સાઈડમાં આવેલ ખાળીયામાં ઉતરી ગઈ હતી, ત્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને એસટી બસની પાછળની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં એસટી બસમાં સવાર 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોચતા 108 મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 7 જેટલા મુસાફરોને ફ્રેકચરની અસર જણાતા વધુ સારવાર અર્થે અમરેલી ખસેડાયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના ગામ લોકો તેમજ સેવાભાવીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Next Story