અમરેલી : બહારવટીયા, પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું

બહારવટીયા પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો

New Update

સાવરકુંડલા નગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો

શહેરમાં જોગીદાસબાપુ ખુમાણનું સ્ટેચ્યુ સ્થાપિત કરાયું

મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુનું અનાવરણ કરાયું

કથાકાર મોરારીબાપુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

મોટી સંખ્યામાં નગરજનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા કચેરીના પટાંગણમાં સ્થાપિત બહારવટીયા પરંતુ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

સંત અને શૂરાની ધરતી કહેવાતા સૌરાષ્ટ્રમાં ઇતિહાસના પાને કંડારાયેલા વીર જોગીદાસબાપુ ખુમાણનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત છેતેવા બહારવટીયા પણ સંત તરીકે ખ્યાતિ પામેલા જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.

હકડેઠઠ જનમેદની વચ્ચે પદ્મશ્રી ભીખુદાન ગઢવીના કંઠસ્થ જેમના લોકગીતો અને લોક સાહિત્યથી ઝવેરચંદ મેઘાણીએ લખી છેતેવા વીર જોગીદાસબાપુ ખુમાણના સ્ટેચ્યુ અનાવરણ પ્રસંગે ચાર ચાંદ લાગ્યા હતા.

સાવરકુંડલા પાલિકા કચેરીના પટાંગણમાં સ્થાપિત પ્રતિમાની અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે કથાકાર મોરારીબાપુસતાધાર મહંત વિજયબાપુપાળીયાદ મહંત ભયલુંબાપુ સહિતના સંતો સાથે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાપૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયાઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીવિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાસાંસદ ભરત સુતરીયાધારાસભ્ય જે.વી.કાકડીયાહીરા સોલંકીજનક તળાવીયા સહિતના રાજકીય મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.