અમરેલી: ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન,5 મે સુધી વરસાદની આગાહી

રાજયમાં આગામી 5મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

New Update
અમરેલી: ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન,5 મે સુધી વરસાદની આગાહી

રાજયમાં આગામી 5મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

રાજયમાં આગામી 5મે સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમરેલીમાં છેલ્લા 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હજું પણ 5 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા ઉપરાંત અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, ડાંગ, તાપી, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં તા.05મે, 2023 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાય છે, બપોર બાદ દરરોજ વાતાવરણમાં પલટો બાદ વરસાદ આવી રહ્યો છે. આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.