અમરેલી : કોરોના મૃતકોના આત્માની શાંતિ અર્થે AAP દ્વારા પાઠવાઈ શ્રદ્ધાંજલિ

વડલી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. તમામ મૃતકોના પરિવારજનોને AAPના નેતાઓએ સાંત્વના પાઠવી.

New Update
અમરેલી : કોરોના મૃતકોના આત્માની શાંતિ અર્થે AAP દ્વારા પાઠવાઈ 
શ્રદ્ધાંજલિ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડલી ગામ ખાતે કોરોનાના કાળમાં મૃત્યુ પામનાર તમામ લોકોના આત્માની શાંતિ અર્થે આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

રાજુલા તાલુકાના વડલી ગામ સ્થિત વરૂડી ધામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રાજુલા વિસ્તારના કોરોના મહામારી વચ્ચે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન સહમંત્રી નિમિષા ખૂટ, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણી તેમજ પ્રવિણ રામ સહિતના કાર્યકરો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમ્યાન કેટલાક સ્થાનિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમાં રાજુલા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે ભરત બલદાણીયાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમને સફળ બનાવવા રાજુલા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisment
Read the Next Article

હવામાન વિભાગની આગાહી: પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું

New Update
હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે વહેલી સવારથી નવસારી, વલસાડ, તાપી, સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સાથેજ દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે જાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

Advertisment

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી કેરળમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું સમાન્ય રીતે 15 જૂનની આસપાસ બેસે છે.

Advertisment