ભારત-પાકિસ્તાન સરહદ ધણધણી ઉઠી : કચ્છથી 53 કિમી દૂર પાકિસ્તાનમાં 3.4ની તિવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો...

ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી કચ્છ પંથકમાં સમયાંતરે ભૂકંપના સામાન્યથી માધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે, 

New Update
a

ભૂકંપ ઝોન પાંચમાં આવતા સરહદી કચ્છ પંથકમાં સમયાંતરે ભૂકંપના સામાન્યથી માધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છેત્યારે છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના આંચકાઓ કચ્છ નજીક પાકિસ્તાન દેશની સરહદ પર અંકીત થઈ રહ્યા છે.

કચ્છ નજીક જમીનના પેટાળમાં સતત થઈ રહેલી ગતિવિધિના પ્રતાપે સિસમોગ્રાફી કચેરી સ્થિત ભૂકંપન આંચકા નોંધાઈ રહ્યાનું જાહેર થતું રહે છે. આ જ પ્રકારે રવિવાર વહેલી પરોઢે 3.58 મિનિટે સામે પાકિસ્તાન સરહદે 3.4ની તિવ્રતાનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાયો હતોજેની અનુભૂતિ સરહદી વિસ્તારોમાં થઈ હતી.

આંચકાનું કેન્દ્ર બિંદુ કચ્છના લખપતથી 53 કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાનમાં નોંધાયું હતું. આ પહેલા ગત તા. 17 સપ્ટેમ્બરના ખાવડાથી 47 કિલોમીટર દૂર 4ની તિવ્રતાનો આંચકો ભારત-પાકિસ્તાન સરહદ પર નોંધાયો હતો. વર્ષ 2001ના મહા ભૂકંપ બાદ કચ્છમાં જાહેર થતાં આંચકાઓથી કોઈ પ્રકારની નુકશાની નોંધાય નથી. પરંતુ ભૂકંપના આંચકાઓની ખબરથી લોકમાનસમાં ક્ષણિક ચિંતાનો માહોલ સર્જાયો હતો.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.