![આણંદ: બે જુથ વચ્ચે અથડામણના કારણે પોલીસ થઈ દોડતી, ફાયરિંગ થયુ હોવાની પણ શક્યતા](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/5fef797982ae1f536628167f10ec23c371146f49633084c100704a047d761ab1.jpg)
આણંદમાં મંગળવારે કેટલાક યુવાનો ક્રિકેટ રમીને પાછા ફરી રહ્યાં હતા ત્યારે એક જૂથના શખ્સોએ આ રસ્તેથી તમારે અવરજવર કરવી નહીં તેમ કહીને માર માર્યો હતો અને બન્ને પક્ષ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો
મળતી માહિતી મુજબ આણંદના ચિખોદરા ઓવર બ્રિજ સર્વિસ રોડ ઉપર નજીક રાજોડપુરામાં મંગળવાર સાંજના સમયે ક્રિકેટ રમીને કેટલાક યુવાનો પરત ફરી રહ્યા હતા તે સમયે દસથી વધારે લોકોએ આવીને તેઓને આ રઅસતાનો ઉપયોગ કરવો નહીં કહીને માર માર્યો હતો. આ બાદ બન્ને જુથ સામસામે આવી ગયા હતા.જેમાં ચાર રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત પણ વહેતી થઈ છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આ મામલામાં પોલીસે 14 શખ્સોને ઝડપી પાડીને તેમના વિરુદ્ધ ગુનો નોધી પૂછપરછ અને આગળની તપાસ હાથ ધરી છે.