Connect Gujarat
ગુજરાત

આણંદ : ખોડલધામ સમિતિના પ્રમુખ ચરોતરની મુલાકાતે, પાટીદાર સમાજને મંદિરના પાટોત્સવનું આમંત્રણ પાઠવ્યું

શ્રી ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા

X

શ્રી ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા, ત્યારે કરમસદ સ્થિત પાટીદાર સમાજના આગેવાનોને મંદિરના ભવ્ય પાટોત્સવની ઉજવણી નિમિત્તે આમંત્રણ પાઠવ્યું હતું.

કાગવડ સ્થિત પવિત્ર યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિરના વર્ષ 2022ની તા. 21 જાન્યુઆરીના રોજ શ્રી ખોડલધામ મંદિરને 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. શ્રી ખોડલધામ મંદિરના પંચવર્ષીય પાટોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ખોડલધામ સમિતિના પ્રમુખ નરેશ પટેલ મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. આ દરમ્યાન સરદાર પટેલ મેમોરિયલ હૉલ ખાતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. નરેશ પટેલ દ્વારા ચરોતર સ્થિત પાટીદાર સમાજના આગેવાનોને ખોડલધામ મંદિરના પાટોત્સવ નિમિત્તે હાજરી આપવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવાયું હતું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તેઓની વિચારધારાને અનુસરવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી

Next Story