Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : વાહનચાલકો રહેજો "સાવધાન", હવે આડેધડ વાહન પાર્કિંગ કર્યું તો થશે ટાયર લોક..!

આડેધડ વાહન પાર્કિંગ કરતાં લોકો સામે કાર્યવાહી, મુખ્ય માર્ગના વાહનોના ટાયરોને પોલીસે કર્યા લોક

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે આડેધડ વાહન પાર્કિંગ કરતાં વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગમે ત્યાં પાર્કિંગ કરેલા વાહનોના ટાયર પોલીસે લોક કર્યા હતા.

અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સહિતના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે, ત્યારે મુખ્ય માર્ગો પર વાહનો સાથે લારીધારકો પણ ઉભા રહેતા હોવાથી ટ્રાફિકજામની ભારે સમસ્યા જોવા મળે છે. જેને નિવારવા માટે અંકલેશ્વર ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ રસ્તા સર્કલથી સ્ટેશન રોડ સુધીના માર્ગ પર ગેરકાયદેસર લારીધારકો તેમજ આડેધડ પાર્ક કરેલા અને અડચણરૂપ વાહનોના ટાયરને લોક કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પોલીસે સ્થળ પર દંડ વસૂલવાની કાર્યવાહી કરતાં અનેક વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

Next Story