અંકલેશ્વરની નોબારીયા સ્કૂલના કમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
શિક્ષણના અમૃતપાન વિના એક પણ બાળક વંચિત ન રહે તેવા આશયથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીના ૨૧મા તબક્કાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વરની નોબારિયા સ્કૂલના કમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતી સાથે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું