અંકલેશ્વર : શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી, ભજન સંધ્યામાં સૌકોઈ ઝૂમી ઉઠ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.
BY Connect Gujarat10 Oct 2022 11:56 AM GMT
X
Connect Gujarat10 Oct 2022 11:56 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.
ગતરોજ વિક્રમ સંવતની આસો સુદ પૂનમે શરદ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂનમના દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલે છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. શરદોત્સવ નિમિત્તે મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે, ત્યારે શરદ પૂર્ણિમા નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભજન સંધ્યામાં ગાયક વૃંદે ભજનોની રમઝટ બોલાવતા શરદ પૂર્ણિમાની ઉજવણીમાં હાજર સૌકોઈ ઝૂમી ઉઠ્યા હતા.
Next Story