અંકલેશ્વર : શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી, ભજન સંધ્યામાં સૌકોઈ ઝૂમી ઉઠ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.

New Update
અંકલેશ્વર : શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી, ભજન સંધ્યામાં સૌકોઈ ઝૂમી ઉઠ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું.

ગતરોજ વિક્રમ સંવતની આસો સુદ પૂનમે શરદ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂનમના દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલે છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. શરદોત્સવ નિમિત્તે મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે, ત્યારે શરદ પૂર્ણિમા નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ હોલ ખાતે શ્રી શ્યામ સેવા સમિતિ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભજન સંધ્યામાં ગાયક વૃંદે ભજનોની રમઝટ બોલાવતા શરદ પૂર્ણિમાની ઉજવણીમાં હાજર સૌકોઈ ઝૂમી ઉઠ્યા હતા.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.