રાજસ્થાનના ઉદેપુરમાં અંક્લેશ્વરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત,કારના થયા બે ટુકડા, બેના મોત, 3 ઈજાગ્રસ્ત

અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો.

New Update
aaa

અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં નવપરણિત યુવક અને તેની ફઇનું મોત નીપજ્યું છેજ્યારે અન્ય ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત ઋષભદેવ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઇવે 48 પર કલ્લાજી મંદિર પાસે સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઇ રહેલી કારે ઓવરટેક કરવા જતાં અન્ય કાર ટક્કરને મારતા કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી.

જાણવા મળ્યા અનુસાર અંકલેશ્વરના એક પરિવારના 10 સભ્યો અલગ-અલગ ત્રણ કાર લઇને અજમેર દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે ઉદયપુર નજીક તેમની એક કારને અકસ્માત નડ્યો હતો. જેમાં નવપરણિત યુવક પવન ઉં.વ.30 યુવકને ફઈ નૈના દેવીબેન ઉં.વ.50નું મોત નીપજ્યું હતું. બંને મૃતકોના  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેજ્યારે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

પવન પટેલ નામનો નવપરણિત યુવક કાર ચલાવી રહ્યો હતોતેમની કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જ્યારે તેમની સાથે અન્ય બે કાર હતીતેમાં પરિવારના અન્ય સભ્યો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બે ટુકડા થઈ ગયા હતા. કારના બોનેટઅને કાચ અને દરવાજાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

જ્યારે કુસુમબેન ભરતભાઈ પટેલ ઉં.વ.52, બીજુબેન ઉજ્જનસિંહ રાજપૂત ઉં.વ.55  અને દિશાબેન દિલીપભાઈ પટેલ ઉં.વ.20ને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ પવનના લગ્ન થયા હતા. જોકે પવનની પત્ની બીજી કારમાં સવાર હતી.