અરવલ્લી : ધનસુરા-પરબડી ચોક નજીક ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
આમ તો, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે.
BY Connect Gujarat Desk21 Feb 2024 9:06 AM GMT
X
Connect Gujarat Desk21 Feb 2024 9:06 AM GMT
અરવલ્લી જિલ્લાના ધનસુરા-પરબડી ચોક નજીક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.
આમ તો, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે. મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના ધનસુરા-પરબડી ચોક નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ કાબુમાં આવતા લોકોએ રાહત અનુભવી હતી.
Next Story