અરવલ્લી : ચાલકને ઝોંકું આવતા ખાનગી બસ પલટી મારી, 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત...

અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે પર ગાજણ ગામ નજીક ખાનગી બસના ચાલકને ઝોંકું આવી જતાં બસ પલટી મારી ગઈ હતી.

New Update
અરવલ્લી : ચાલકને ઝોંકું આવતા ખાનગી બસ પલટી મારી, 15 મુસાફરો થયા ઇજાગ્રસ્ત...

અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે પર ગાજણ ગામ નજીક ખાનગી બસના ચાલકને ઝોંકું આવી જતાં બસ પલટી મારી ગઈ હતી. જેમાં 15 જેટલા મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી મુસાફરો લઈને પુના જતી ખાનગી બસ મોડાસા-શામળાજી સ્ટેટ હાઇવે પર વહેલી સવારે ગાજર નજીક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. મુસાફરો ભર ઉંઘમાં હતા અને અચાનક બસ પલટી મારી જતા મુસાફરોમાં બુમરાણ મચી હતી, ત્યારે બસમાં સવાર 50 મુસાફરો પૈકી 15 જેટલા મુસાફરોને નાનીમોટી ઇજા પહોચી હતી. બનાવની જાણ થતા જ રાત્રી પેટ્રૉલિંગનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, રાજસ્થાનથી પુના જતી બસના ચાલકને ઝોંકું આવી જતાં બસ પલટી મારી ગઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.