અરવલ્લી : રાહુલ ગાંધીએ મોડાસાથી “સંગઠન સર્જન” અભિયાનનો પ્રારંભ કરાવ્યો, 1200 બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો....

New Update
  • દેશભરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કોંગ્રેસનો પ્રયાસ

  • કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

  • રાહુલ ગાંધી દ્વારા મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ

  • રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષના 1200 બૂથ કાર્યકરોને સંબોધન કર્યું

  • ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરાશે 

Advertisment

દેશભરમાં પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છેત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છેતારે આજરોજ રાહુલ ગાંધીએ અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું હતુંતેમજ કાર્યકરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કોંગ્રેસ દેશભરમાં સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છેઅને તેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કેરાહુલે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કેમંગળવારે જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કેએક રાષ્ટ્રીય નિરીક્ષક અને 4 પ્રાદેશિક નિરીક્ષકોએ તેમના જિલ્લામાં 3થી 5 દિવસ સુધી રહેવું જોઈએ. આ દરમિયાન તેઓ કાર્યકરો અને નેતાઓને મળશેઅને જિલ્લા પ્રમુખ માટે ઓછામાં ઓછા 5 લાયક ઉમેદવારોના નામ રાજ્ય પ્રભારીને આપશે. આ પછીઆ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે તેમની સમીક્ષા કર્યા પછી જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment