અરવલ્લી : રાહુલ ગાંધીએ મોડાસાથી “સંગઠન સર્જન” અભિયાનનો પ્રારંભ કરાવ્યો, 1200 બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો....

New Update
  • દેશભરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કોંગ્રેસનો પ્રયાસ

  • કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

  • રાહુલ ગાંધી દ્વારા મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ

  • રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષના 1200 બૂથ કાર્યકરોને સંબોધન કર્યું

  • ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરાશે 

Advertisment W3.CSS

દેશભરમાં પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છેત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છેતારે આજરોજ રાહુલ ગાંધીએ અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું હતુંતેમજ કાર્યકરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કોંગ્રેસ દેશભરમાં સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છેઅને તેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કેરાહુલે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કેમંગળવારે જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કેએક રાષ્ટ્રીય નિરીક્ષક અને 4 પ્રાદેશિક નિરીક્ષકોએ તેમના જિલ્લામાં 3થી 5 દિવસ સુધી રહેવું જોઈએ. આ દરમિયાન તેઓ કાર્યકરો અને નેતાઓને મળશેઅને જિલ્લા પ્રમુખ માટે ઓછામાં ઓછા 5 લાયક ઉમેદવારોના નામ રાજ્ય પ્રભારીને આપશે. આ પછીઆ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે તેમની સમીક્ષા કર્યા પછી જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.

Read the Next Article

ગુજરાતનાં આ શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા,વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી

પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસ્યો

New Update
varsad News

ગુજરાતના અનેક શહેરોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાઈક વરસાદ પડતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો.  

Advertisment W3.CSS

બીજી તરફ બોટાદના ગઢડા તાલુકાના ઢસાગામે શરૂ વરસાદ થયો હતો. સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉનાળાની અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થયો હતો. ઢસા, માલપરા, ઉમરડા, પાટના સહિતના ગામોમાં વરસાદ શરૂ હતો. રાજકોટ જિલ્લાના લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હતો. વરસાદના કારણે ગામમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી માંથી રાહત મળી હતી.