અરવલ્લી : રાહુલ ગાંધીએ મોડાસાથી “સંગઠન સર્જન” અભિયાનનો પ્રારંભ કરાવ્યો, 1200 બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો....

New Update
  • દેશભરમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કોંગ્રેસનો પ્રયાસ

  • કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

  • રાહુલ ગાંધી દ્વારા મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ

  • રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષના 1200 બૂથ કાર્યકરોને સંબોધન કર્યું

  • ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરાશે

દેશભરમાં પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છેત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છેતારે આજરોજ રાહુલ ગાંધીએ અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે કોંગ્રેસના 1200 બૂથ કાર્યકરને સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસને આગામી દિવસોમાં કેવી રીતે મજબૂત કરીશું એ અંગે જણાવ્યું હતુંતેમજ કાર્યકરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના 40થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કોંગ્રેસ દેશભરમાં સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છેઅને તેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કેરાહુલે ગુજરાતના 41 જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કેમંગળવારે જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કેએક રાષ્ટ્રીય નિરીક્ષક અને 4 પ્રાદેશિક નિરીક્ષકોએ તેમના જિલ્લામાં 3થી 5 દિવસ સુધી રહેવું જોઈએ. આ દરમિયાન તેઓ કાર્યકરો અને નેતાઓને મળશેઅને જિલ્લા પ્રમુખ માટે ઓછામાં ઓછા 5 લાયક ઉમેદવારોના નામ રાજ્ય પ્રભારીને આપશે. આ પછીઆ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તરે તેમની સમીક્ષા કર્યા પછી જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.