અરવલ્લી: સુણસર ધોધનો નજારો સહેલાણીઓ માટે નયનરમ્ય બન્યો

અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટથી વધુ ઊંચાઈએ થી એક આહલાદક ધોધ પડે છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે

New Update

સુણસર ધોધનો નજારો બન્યો નયનરમ્ય 

ધોધનો નજારો જોવા પ્રવાસીઓની જામી ભારે

સુણસર ધોધનું છે ધાર્મિક મહાત્મ્ય  

ભૂદેવો આ સ્થાન પર બદલે છે જનોઈ 

આદિવાસી સમાજ શુભ પ્રસંગ પહેલા કરે છે પૂજા

ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાતા સુણસર ધોધ સહેલાણીઓ માટે પ્રથમ પસંદગીનું રમણીય સ્થાન બની ગયું છે. અને અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટ ઊંચેથી પડતા ધોધની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

વરસાદની ઋતુમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી 500 ફૂટથી વધુ ઊંચાઈએ થી એક આહલાદક ધોધ પડે છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. તેની શરૂઆત શ્રાવણ માસથી થાય છે.આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે.

શ્રાવણ માસમાં આસપાસના ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આ ધોધમાં ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞોપવીત ધારણ કરે છે. આ આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે.તેવી પૌરાણિક માન્યતા રહેલી છે. આમ આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકોની ભારે ભીડ જામે છે.

 

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.